SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] સ્વશુદ્ધિ અર્થે સીતાની અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી [ ૫૭ મુ ત્યાગ કરે. વળી પ્રથમ દંડ આપીને હવે મારી પરીક્ષા કરેા છે, તેથી પણ તમારૂ વિચક્ષણુપણુ જણાઈ આવે છે; પરંતુ હું તે તે કરવાને અદ્યાપિ તૈયાર છું.' તેનાં આવાં વચન સાંભળી રામ વિલખા થઈ ને ખેલ્યા- હે ભદ્રે ! તમારામાં ખીલકુલ દોષ નથી એ હું જાણું છું, તથાપિ લાકાએ ઉત્પન્ન કરેલા દોષ ટાળવાને માટે હું આ પ્રમાણે કહું છું. ' સીતા ખેલ્યાં–‘ હું પાંચે પ્રકારના દિવ્ય કરવાને તૈયાર છું. કહો તે અગ્નિમાં પ્રવેશ કરૂ, કહો તે મત્રિતત ફુલ ભક્ષણ કરૂ, કહો તે તાજવાપર ચ ુ', કહો તે તપાવેલા કેશનુ` પાન કરૂ, અને કહો તે છઠ્ઠાથી શસ્રના ફળને ગ્રહણ કરૂ. કહો, આમાંથી તમને જે રૂચે તે કરૂં.' તે વખતે અંતરીક્ષમાં રહીને સિદ્ધાર્થ અને નારદે તથા ભૂમિપર રહેલા લેકેએ કાલાહલને અટકાવીને આ પ્રમાણે કહ્યું-‘હે રાધવ! આ સીતા નિશ્ચયથી સતી, મહાસતી છે. તેમાં તમારે કાંઈપણુ વિકલ્પ કરવા નહિ. 'રામે કહ્યું- હું લેાકેા ! તમારામાં ખીલકુલ મર્યાદા નથી; સ’કલ્પદોષ તમારાથી જ ઉત્પન્ન થયેા છે, પૂર્વે તમે જ તેમને દૂષિત કહ્યા હતા અને અત્યારે પાછા અહીં આવું બેલે છે અને વળી દૂર જઈને ખીજુ` ખેલશે. પૂર્વ સીતા શી રીતે દોષિત હતાં અને અત્યારે શી રીતે શીળવાન થયાં તે કહો. વળી ફરીવાર દેષ ગ્રહણ કરવામાં તમારે પ્રતિબંધ નથી; માટે હું કહું છું કે સીતા સર્વાંની પ્રતીતિને માટે પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરે. આ પ્રમાણે કહીને રામે ત્રણસેા હાથ લાંખે પહેાળા અને બે પુરૂષપ્રમાણ ઊંડા એક ખાડા કરાવ્યા, અને તે ચંદનના કાષ્ઠાથી પૂરાખ્યું. ,, એ સમયમાં વૈતાઢ્ય ગિરિની ઉત્તર શ્રેણીમાં હરિવિક્રમ રાજાના જયભૂષણુ નામે કુમાર હતા. તે આઠસે। શ્રીએ પરણ્યા હતા. એક વખતે રણુમંડલા નામે તેની એક હેમશિખ નામના તેના મામાના પુત્રની સાથે સુતેલી તેણે જોઈ, એટલે તેણે સ્ત્રીને કાઢી મૂકી અને તત્કાળ પાતે દીક્ષા લીધી. કિરણમ′ડલા મૃત્યુ પામીને વિદ્યુબ્તા નામે રાક્ષસી થઈ. જયભૂષણ મુનિ કરતાં કરતાં આગલી રાત્રે અયેધ્યાની બહાર આવીને પ્રતિમાપણે રહ્યા. તે વખતે વિદ્યુન્દ્રા ત્યાં આવીને તેને ઉપદ્રવ કરવા લાગી. મુનિને તે શુભ ધ્યાનના બળથી તેજ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, એટલે તેને ઉત્સવ કરવા માટે ઇંદ્રાદિક દેવતાઓ ત્યાં આવ્યા. એ સમયે અહી. સીતાની શુદ્ધિ થતી હતી તે જોઈને દેવતાએએ આવી ઇંદ્રને વિજ્ઞપ્તિ કરી કે− હે સ્વામી! લેાકેાના ખાટા અપવાદથી સીતા આજે અગ્નિમાં પ્રવેશ કરે છે. ’ એ સાંભળી ઇંદ્રે સીતાની સાંનિધ્ય કરવાને માટે તરત જ પેાતાની પેદળ સેનાના અધિપતિને આજ્ઞા આપી, અને પેાતે જયભૂષણુ મુનિના કેવળજ્ઞાનને ઉત્સવ કર્યાં. હવે રામની આજ્ઞાથી સેવકેાએ ચંદનના કાથી વ્યાપ્ત એવા તે ગતમાં ચારે તરફથી નેત્રને પણ દુ:પ્રેક્ષ્ય એવા અગ્નિ પ્રજવલિત કર્યાં. જવાળાએથી વિકરાળ અગ્નિને જોઈ ને રામે હૃદયમાં વિચાયું કે- અહા ! આ તે અતિ વિષમ કાર્ય થઈ પડયું! આ મહાસતી તા ૧ લેહને રસ અથવા સીસાને રસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy