SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮] રાવણને વધ. [ પર્વ ૭ મું સંજ્ઞા મેળવીને સીતાઓ અભિગ્રહ લીધે કે “જે રામલક્ષ્મણનું મરણ થાય છે ત્યારથી મારે અનશન વ્રત છે.” આ સીતાને અભિગ્રડ સાંભળી રાવણને વિચાર થયે કે “આ સ્ત્રીને રામની સાથે સ્વાભાવિક સનેહ છે, તે આની સાથે મારે રાગ કરે તે સ્થળમાં કમળ રોપવા જેવું છે. મેં વિભીષણની અવજ્ઞા કરી તે સારું કર્યું નથી. વળી મેં મંત્રીઓનું અપમાન કર્યું છે અને મારા કુળને પણ કલંકિત કર્યું છે, પરંતુ જે હવે અત્યારે હું આ સીતાને છેડી દઉં તે તે વિવેક ગણાશે નહિ, પણ ઉલટું “રામથી દબાઈને સીતાને આપી દીધી.” એ અપયશ પ્રાપ્ત થશે; માટે રામલક્ષ્મણને બાંધીને અહીં લઈ આવું, અને પછી તેમને આ સીતા અર્પણ કરૂં તો તે કાર્ય ધર્મ અને યશ વધારનારૂં થશે.” આવો નિશ્ચય કરીને દુર્મદ રાવણ તે રાત્રિ નિર્ગમન કરી પ્રાતઃકાળે અપશકુનેએ વાર્યા છતાં પણ યુદ્ધ કરવાને ચાલ્ય. રામ અને રાવણના સૈન્યમાં ઉગ્ર સુભટોની ભુજાના આટથી દિગ્ગજને ત્રાસ પમાડતું મોટું યુદ્ધ ફરીવાર પ્રવત્યું. રૂને પવનની જેમ સર્વ રાક્ષસને માર્ગમાંથી દૂર કરીને લક્ષ્મણ રાવણની ઉપરજ બાણુ નાંખવા લાગ્યા. લક્ષ્મણનું પરાક્રમ જોઈ રાવણને પોતાના જયમાં આશંકા થઈ તેથી તત્કાળ વિશ્વને ભયંકર એવી બહુરૂપ વિદ્યાનું તેણે સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે વિદ્યા આવીને ઊભી રહી, એટલે તેનાવડે રાવણે તરતજ મહા ભયંકર અનેક રૂપે વિદુર્થી. ભૂમિ ઉપર, આકાશમાં, પૃષ્ઠ ભાગે, અગ્ર ભાગે અને બને પડખે-વિવિધ પ્રકારનાં આયુધોને વર્ષાવતા અનેક રાવણે લક્ષ્મણને જોવામાં આવ્યા. લક્ષ્મણ એકલા છતાં જાણે તેટલારૂપે થયા હોય તેમ ગરૂડપર બેસીને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતાં બાણથી અનેક રાવણેને મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના બાણથી રાવણ અકળાઈ ગયે, એટલે તેણે અર્ધચક્રીના ચિન્હરૂપ જાજવલ્યમાન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર પ્રગટ થતાં જ રેષથી રાતાં નેત્ર કરીને તે છેલ્લા ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને તેણે લક્ષમણ ઉપર છેડયું. તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગિરિના શિખર ઉપર સૂર્ય આવે તેમ લમણના જમણ હાથમાં આવીને રહ્યું. એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે-મુનિનું વચન સત્ય થયું, તેમજ વિભીષણ વિગેરેના વિચારને નિર્ણય પણ સત્ય થયે!' રાવણને ખેદયુક્ત જઈ વિભીષણે કહ્યું –“હે ભ્રાતા! જે જીવવાની ઈચ્છા હોય તે હજુ પણ સીતાને મૂકી દે.' રાવણે ક્રોધથી કહ્યું-“મારે ત ચક્રની શી જરૂર છે? હું એક મુષ્ટિમાત્રથી આ શત્રુને અને ચક્રને તત્કાળ હણી નાંખીશ.” આવાં ગર્વયુક્ત વચને બેલનારી રાવણની છાતીને લક્ષ્મણે તત્કાળ તે ચક્રથીજ કેળાના ફલની જેમ ફાડી નાંખી. તે જ વખતે જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલા પહેરે રાવણ મૃત્યુ પામીને ચોથા નરકમાં ગયો. તે સમયે આકાશમાં જયજય શબ્દ કરતા દેવતાઓએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, અને જેમાં મેટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદવડે ભૂમિ અને અંતરીક્ષ પૂર્ણ થયેલું છે એવું કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणवधो नाम सप्तम सर्गः समाप्तः ॥ ७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy