SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] સાચા સુગ્રીવ તથા જાર સુગ્રીવની વચ્ચે દારૂણ યુદ્ધ. [પર્વ ૭મું સ્વામીના કાર્યમાં યથાશક્તિ સારો ઉઘોગ કર્યો, તે છતાં સીતાની શોધ મળી નહિ, તેમાં તમારે શું દેષ છે? જ્યારે દૈવ વિપરીત થાય ત્યારે તમે કે બીજે કઈ શું કરી શકે ?” તે વખતે વિરાધ બે -“હે પ્રભુ! તમે ખેદ કરે નહિ. ખેદ ન કરે તેજ લક્ષ્મીનું મૂળ છે, અને આ હું તમારે સેવક તૈયાર છું; માટે આજે મારી સાથે પાતાળલંકામાં મને પ્રવેશ કરાવવા માટે ચાલે. ત્યાં રહેવાથી આપને સીતાની શોધ મેળવવી ઘણી સુલભ થશે.” પછી રામ સેના સહિત વિરાધની સાથે લક્ષ્મણ સહિત પાતાળલંકાની પરિસર ભૂમિ પાસે આવ્યા. ત્યાં શત્રુઓને મારનાર સુંદ નામે ખર રાક્ષસને પુત્ર મોટું સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે સામો આવ્યા. પિતાના વધના ક્રોધથી તે સુદે આગળ ચાલનારા પિતાના પૂર્વવિરોધી વિરાધની સાથે ઘેર યુદ્ધ કરવા માંડ્યું. પછી લક્ષમણ રણમાં આવ્યા એટલે ચંદ્રણખાના કહેવાથી સુંદ ત્યાંથી નાસીને લંકામાં રાવણને શરણે ગયે. પછી રામ અને લક્ષમણે પાતાળલંકામાં પ્રવેશ કર્યો, અને તેઓએ વિરાધને તેના પિતાના રાજ્યપર બેસાર્યો. ત્યાં ખરના મહેલમાં રામ અને લક્ષમણ રહ્યા, અને વિરાધ યુવરાજની જેમ સુંદના ઘરમાં રહ્યો. અહીં સાહસગતિ વિદ્યાધર કે જે લાંબા વખતથી સુગ્રીવની સ્ત્રી તારાને અભિલાષ ધરીને હિમાચલની ગુહામાં રહી વિદ્યા સાધતે હતો તેને ત્યાં પ્રસારણ વિદ્યા સિદ્ધ થઈ તે વિદ્યાવડે તે કામરૂપી (ઈચ્છિત રૂપ કરનાર) દેવની જેમ સુગ્રીવનું રૂપ લઈ આકાશમાં બીજા સૂર્યની જેમ કિકિંધા પુરી પાસે આવ્યો. જે વખત સુગ્રીવ ક્રીડા કરવાને માટે બહાર ઉધાનમાં ગયે હતું, તે વખતે તારા દેવીથી સુશોભિત એવા અંતઃપુરમાં તેણે પ્રવેશ કર્યો. ડીવાર ન થઈ તેવામાં સાચો સુગ્રીવ આવ્ય, એટલે “રાજા સુગ્રીવ તે અંદર ગયા છે” એમ બેલતા દ્વારા પાળોએ તેને અટકાવ્યું. એકસરખા બે સુગ્રીવને જઈ વાલીના પુત્રના મનમાં સંદેહ ઉત્પન્ન થયે; તેથી અંતઃપુરમાં કઈ પ્રકારની વિપ્લવ (હાનિ) ન થવા દેવાને માટે તે સત્વર ત્યાં ગયે, અને માર્ગમાં આવતા પર્વતની નદીનું પૂર અટકે તેમ વાલીકુમારે અંતઃપુરમાં પેસતાં જ જાર સુગ્રીવને અટકાવ્યું. પછી જાણે જગતના સારરૂપ સર્વસ્વ એકઠું કર્યું હોય તેમ ચૌદ અક્ષૌહિણી સેના ત્યાં એકઠી મળી. જ્યારે સેનાએાએ તે બનેને ભેદ જા નહિ, ત્યારે સાચા સુગ્રીવ અને જાર સુગ્રીવની તરફ તે બે ભાગે વહેંચાઈ ગઈ. પછી અને સૈન્યમાં ભાલાઓના પડવાથી આકાશને ઉલ્કાપાતમય કરતું મોટું યુદ્ધ ચાલ્યું. સ્વારની સાથે સ્વાર, મહાવતની સાથે મહાવત, પેદલની સાથે પેદલ અને રથીની સાથે રથી એમ યુદ્ધ થવા લાગ્યું. પ્રૌઢપતિના સમાગમથી મુગ્ધા સ્ત્રીની જેમ ચતુરંગ સેનાના વિમર્દથી પૃથ્વી કંપવા લાગી. “અરે પરગૃહમાં પ્રવેશ કરનારા ચેર! તું સામો આવ” એમ બોલતા સાચા સુગ્રીવે ઊંચી થ્રીવા કરીને જાર સુગ્રીવને યુદ્ધ કરવા બોલાવ્યો, એટલે તિરસ્કાર કરેલા ઉન્મત હાથીની જેમ તે જાર સુગ્રીવ ઉગ્ર ગર્જના કરતે તેના સન્મુખ યુદ્ધ કરવા આવ્યા. ક્રોધથી રાતાં નેત્ર કરતા બનને વીર યમરાજના સહાદર હોય તેમ જગતને ત્રાસ પમાડતા સતા યુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy