SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સગ પ મ ] રામે વનમાં કરેલ ભરતને રાજ્યાભિષેક [ ૭૯ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કૈકેયીને પ્રણામ કરી, ભરતને બોલાવી, તેઓને અધ્યા તરફ વિદાય કરીને રામચંદ્ર દક્ષિણ દિશામાં ચાલ્યા. ભરત અધ્યામાં આવ્યા, અને પિતા તથા વડીલ બ્રાતાની આજ્ઞાથી તેમણે અખંડ શાસનવાળા રાજયને ભાર અંગીકાર કર્યો. પછી રાજા દશરથે મહામુનિ સત્યભૂતિની પાસે મોટા પરિવાર સહિત દીક્ષા લીધી. પિતાના પૂજ્ય બંધુના વનવાસથી હૃદયમાં દુઃખ પામતા સદ્દબુદ્ધિવાળા ભરત અરિહંતની પૂજામાં ઉદ્યમી થઈને એક પહેરેગીરની જેમ રાજયરક્ષા કરવા લાગ્યા. સીતા અને લક્ષમણ સાથે ગમન કરતા પૃથ્વીના દેવ સમાન રામચંદ્ર માર્ગમાં આવેલા ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘન કરી કેટલેક દિવસે અવંતિ દેશના એક ભાગમાં આવી પહોંચ્યા. इत्याचार्यश्रहिमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रामलक्ष्मणोत्पत्तिपरिणयवनगमनो नाम चतुर्थः सर्गः ॥४॥ સીતાહરણ માર્ગમાં શાંત થયેલા જાનકીને વિશ્રામ આપવાને માટે યક્ષપતિ કુબેરની જેમ રામચંદ્ર એક વડની નીચે બેઠા. તે પ્રદેશને સર્વ તરફ જઈને રામે લક્ષ્મણને કહ્યું- આ પ્રદેશ કેઈન ભયથી હમણાં જ ઉજજડ થઈ ગયેલું લાગે છે. જુઓ, હજુ જેએની નીકે સુકાઈ ગઈ નથી એવા આ ઉદ્યાને, ઈક્ષુદંડ સહિત આ ઈના વાઢે અને અન્નથી ભરપૂર ખળાઓ આ દેશ તરતમાં જ ઉજજડ થયાનું કહી આપે છે. તે સમયે કઈ પુરૂષ ત્યાં થઈને જતું હતું તેને રામે પૂછયું-“હે ભદ્ર! આ દેશ શા કારણથી ઉજજડ થયે છે? અને તું કઈ તરફ જાય છે?' તે બે-“આ અવંતિ દેશ છે, તેમાં અવંતિ નામે નગરીમાં શત્રુઓને સિંહની જે દુસહ સિંહદર નામે રાજા છે. તે રાજાના તાબાના આ દેશમાં દશાંગપુર નગરમાં તે નગરનો નાયક વજકર્ણ નામે એક બુદ્ધિમાન સિદર રાજાને સામંત રાજા રાજ્ય કરે છે. એક વખતે તે વજકર્ણ વનમાં મૃગયા રમવાને ગયે. ત્યાં પ્રીતિ વધારનારા પ્રતિવર્ધન નામના એક મહામુનિને કાત્સર્ગે રહેલા તેણે જોયા એટલે તેણે પૂછયું-આવા ઘર અરયમાં વૃક્ષની જેમ તમે કેમ રહેલા છે?' મુનિએ કહ્યું-“આત્મહિતને માટે.” વાકણે ફરીથી પૂછયું કે-“ખાનપાનવજિત એવા આ અરણયમાં તમારું આત્મહિત શું થાય છે?' આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy