SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ ]. સીતાનો સ્વયંવર આ પ્રમાણેની તેની હકીકત સાંભળીને રાજા ચંદ્રગતિએ “વત્સ! એ તારી પત્ની થશે” એમ ભામંડલને આશ્વાસન આપી નારદને વિદાય કર્યા. પછી રાજાએ ચપલગતિ નામના એક વિદ્યાધરને આજ્ઞા કરી કે “જનકરાજાનું અપહરણ કરીને સત્વરે અહીં લઈ આવ.” તત્કાળ તેણે રાત્રિએ ત્યાં જઈ જનકરાજાને ગુપ્ત રીતે હરી લાવીને ચંદ્રગતિને અર્પણ કર્યો. રથનપુરના રાજા ચંદ્રગતિએ બંધુની જેમ જનક રાજાને આલિંગન કરી પાસે બેસારીને સ્નેહથી આ પ્રમાણે પૂછ્યું કે “લોકોત્તર ગુણવાળી સીતા નામે તમારી પુત્રી છે અને રૂપસંપત્તિથી પરિપૂર્ણ ભામડલ નામે મારો પુત્ર છે, તે બન્નેને વધૂવરપણે ઉચિત સંગ થાઓ, અને આપણું બંનેને તે સંબંધવડે સૌહદ થાઓ.” તેની આવી માગણી સાંભળીને જનકરાજા બોલ્યા કે એ પુત્રી મેં દશરથના પુત્ર રામને આપી દીધેલી છે, તેથી હવે બીજાને શી રીતે અપાય ? કેમ કે કન્યા એકજવાર અપાય છે.” ચંદ્રગતિ બેલ્યો “હે જનક! જે કે હું તે સીતાને હરવાને સમર્થ છું પણ નેહવૃદ્ધિ કરવાને માટે જ તમને અહીં બેલાવીને મેં તમારી પાસે તેની યાચના કરી છે. જો કે તમે તમારી પુત્રી રામને માટે કપી છે, તથાપિ તે રામ જે અમારો પરાજય કરશે તે તેને પરણી શકશે. માટે દુસહ તેજવાળા વાવત અને અણુવાવર્ત નામે બે ધનુષ્ય જે કે સહસ્ત્ર યાથી અધિષિત છે અને દેવતાની આજ્ઞાથી ગેત્રદેવતાની જેમ સદા અમારા ઘરમાં પૂજાય છે તે ભાવી એવા બળદેવ અને વાસુદેવને ઉપગી થવાનાં છે તે તમે લઈ જાઓ. જે તે બે ધનુષ્યમાંથી એકને પણ તે રામ ચઢાવશે તે તેનાથી અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તે તમારી પુત્રી સીતાને સુખે પરણે” આવી પ્રતિજ્ઞા બળાત્કારે જનકરાજા પાસે કબુલ કરાવી તેણે જનકને મિથિલામાં પહોંચાડ્યો, અને પોતે પણ પુત્રપરિવાર સહિત ત્યાં જઈ, બંને ધનુષ્ય જનકના દરબારમાં મૂકી નગરીની બહાર ઉતર્યો. જનકે રાત્રિમાં બનેલું આ બધું વૃત્તાંત પિતાની મહારાણી વિદેહાને કહ્યું, જે તત્કાળ તેના હૃદયમાં શલ્યરૂપ થઈ ગયું. વિદેહ રૂદન કરીને બોલવા લાગી કે-“હે દેવ! તું અત્યંત નિર્દય છે. તેં મારા એક પુત્રને હરી લીધું છે, તેથી પણ તૃપ્ત ન થતાં આ એક પુત્રીને પણ હરી લેવા ધારે છે! આ લેકમાં પુત્રીને માટે વેચ્છાથી વર ગ્રહણ કરાય છે, બીજાની ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરાતા નથી, પણ મારે તે દૈવયેગે બીજાની ઈચ્છા પ્રમાણે વર ગ્રહણ કરવાનો વખત આવ્યે છે. બીજાની ઈચ્છાથી પ્રતિજ્ઞા કરેલ આ ધનુષ્યનું આરોપણ જે રામ કરી શકે નહિ અને કેઈ બીજે કરે તે જરૂર મારી પુત્રીને અનિષ્ટ વરની પ્રાપ્તિ થાય માટે હવે શું કરવું?” વિદેહાનો આ વિલાપ સાંભળી જનકરાજા બેલ્યા–“હે દેવી! તમે ભય પામે નહિ, મેં એ રામનું બળ જોયેલું છે. આ ધનુષ્ય તેને એક લતા જેવું છે.” વિદેહાને એવી રીતે સમજાવી જનકે બીજે દિવસે પ્રભાતમાં માંચાઓથી મંડિત એવા મંડપમાં તે બંને ધનુષ્યરત્નને પૂજા કરીને સ્થાપન કર્યા. સીતાના સ્વયંવરને માટે જનક રાજાએ બોલાવેલા વિદ્યાધરાના અને મનુષ્યના રાજાએ આવી આવીને મંચ ઉપર બેઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy