________________
AS SS૦૦૦૦૦૦૦૦૦૦૦;
જિક
B૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૭ મું.
આ વિષયાનુમણિકા. પહેલાસર્ગમાં–(રાવણ જન્માદિ) અજિતનાથજીના તીર્થમાં રાક્ષસવંશની ઉત્પત્તિ થયા પછી શ્રેયસ પ્રભુના તીર્થમાં કાતિધવળ રાક્ષસપતિનું થવું–તેને અતીંદ્ર વિદ્યાધરની પુત્રી અને શ્રીકંઠની બહેન સાથે વિવાહ-તેથી પુત્તર રાજાને થયેલ ખેદ-અતીંદ્રના પુત્ર શ્રી કંઠે કરેલું પુષ્પોત્તર રાજાની પુત્રી પવાનું અપહરણ-તેનું કીર્તિધવળને શરણે આવવું–પાએ પોતાની ઈચ્છા જણાવવાથી પુરે શ્રીકંઠ સાથે તેનું કરાવેલું પાણિગ્રહણ-કીર્તિધવળના આગ્રહથી શ્રીકઠે વાનરદીપ ઉપર રહેવાને કરેલ સ્વીકાર-તે દ્વીપ ઉપર ઉિન્કિંધા નગરીમાં કરાવેલી તેની રામસ્થાપના-તે દીપ ઉપર પુષ્કળ વાનરો હેવાથી રાજાએ કરાવેલી અમારી છેષણ–તેથી વાનરેને થયેલ સત્કાર–તે દ્વીપનિવાસીની વાનર તરીકે થયેલી પ્રસિદ્ધિ-શ્રીકંઠને વિમાનની સ્મલનાથી થયેલ વૈરાગ્ય–ચારિત્ર ગ્રહણ અને મેલગમન.
અનુક્રમે મુનિસુવતપ્રભુના તીર્થમાં વાનરદ્વીપમાં શ્રીકંદના વંશમાં થયેલ દિધિરાજા–અને રાક્ષસીપમાં થયેલ તરિકેશરાજ-બંનેને પરસ્પર સ્નેહ-તડિકેશનું વાનરીપે આગમન–એક વાનરે કરેલા તેની સ્ત્રીના પરાભવથી ડિલેશે કરેલે તેને પ્રહાર–તેને મુનિએ આપેલ નવકાર-વાનરનું અબ્ધિકુમારમાં દેવ થવું-તક્લેિશના સુભટોએ કરેલા વાનરોને ઉપદ્રવથી તે દેવનું આગમન–તડિકેશે કરેલું પૂજદિવડે સાંત્વન–બંનેનું મુનિ પાસે જવું–તડિકેશે કરેલી પરસ્પર વેરહેતુ સંબંધી પૃછા-મુનિએ કહેલ પૂર્વભવ-લંકાપતિ તડિકેશને થયેલ થરાગ-તેનું મેક્ષગમન-લંકામાં સુકેશ રાક્ષસનું અને કિષ્કિન્ધામાં કિકિંધિનું રાજા થવું.
વતાથ ઉપર રથનપુરમાં અશનિવેગ રાજા–તેને બે પુત્ર-વિજયસિંહ ને વિઘુ ગ–આદિયપુરના રાજાની પુત્રી શ્રીમાળાને સ્વયંવરશ્રીમાળાએ કરેલું કિકિંધિના કંઠમાં વરમાળા પણ–તેથી વિજયસિંહને ઉત્પન્ન થયેલે ટ્રેષ–તેના અને કિકિંધિના વચ્ચે થયેલું યુદ્ધ-કિષ્કિધિના અનુજ અંધકે વિજયસિંહનું કરેલું પ્રાણ હરકિષ્કિધિનું શ્રીમાળાને પરણી કિકિધાએ આગમન-અશનિવેગનું ત્યાં યુદ્ધ કરવા આવવું–ત્યાં થયેલું ય-અશનિવેગે કરેલે અંધકનો વધ-સંકેશ ને કિષ્કિવિએ કરેલું પરિવાર સહિત પલાયન-તે બંનેનું પાતાળ
કામાં જઈને રહેવું-અશનિવેગે લંકાના રામપર નિર્ધાત વિદ્યાધરનું કરેલ સ્થાપન-પિતાના પુત્ર સહસ્ત્રારને રાજ્ય આપી અશનિવેગે લીધેલી દીક્ષા
પાતાળ લંકામાં સુકેશને થયેલા ત્રણ પુત્ર-માળી, સુમાળી ને માલ્યવાન–કિષ્કિધિને થયેલ બે પુત્રઆદિત્યરાજા ને ઋક્ષરજા-કિકિંધિનું મધુપર્વતે ગમન–ત્યાં અનુકૂળ જણાવાથી તેણે વસાવેલ નગરી–તેને ત્યાં નિવાસ-મુકેશના પત્રોએ લંકામાં જઈ નિર્ધાતને કરેલ નિમહ-માળીનું રાજ્યાધિશ થવું-કિષ્કિધિમાં આદિત્યરાજાને રાજ્યે સ્થાપવો–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org