Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીયશોવિજયોપાધ્યાય અને તેમણે લખેલી હાથપોથી
नय चक्र મુનિશ્રી પુણ્યવિજયજી
જૈન શ્રીસંઘ પાસે આજે જે જ્ઞાનસંગ્રહો અને તેમાં જે વિશાળ ગ્રંથરાશિ વિદ્યમાન છે તે આજે એના વિશિષ્ટ ગૌરવની વસ્તુ છે અને ભલભલાને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા અને તેટલા વિશાળ છે. હજારોની સંખ્યામાં વિનાશના મુખમાં જવા છતાં ય આજે જૈન મુનિવરો અને જૈન ગૃહસ્થ શ્રીસંઘોની નિશ્રામાં જે ગ્રંથસંગ્રહો છે તેની ડરતાં ડરતાં પણ સંખ્યા ક૯૫વામાં આવે તો તે પણ લગભગ પંદરથી વીસ લાખ જેટલી છે. આ બધા જ્ઞાનભંડારોમાં માત્ર જૈન ગ્રંથો જ છે તેમ નથી પણ તેમાં ભારતીય જૈન જૈનેતર વિધવિધ પ્રકારના સમગ્ર સાહિત્યનો સંગ્રહ છે. કોઈ એવી સાહિત્યની દિશા ભાગ્યે જ હશે જેને લગતા ગ્રંથો આ સંગ્રહોમાં ન હોય. આ ગ્રંથસંગ્રહોની મહત્તા જ એ છે કે તે માત્ર સાંપ્રદાયિક ગ્રંથોની સીમામાં જ વિરમી જતી નથી, પણ તેમાં વૈવિધ્યપૂર્ણ ભારતીય વિશાળ સાહિત્યરાશિ છે. જૈનેતર સંપ્રદાયના એવા સેંકડો ગ્રંથો આ સંગ્રહોમાંથી મળી આવ્યા છે જેની પ્રાપ્તિ તે તે સંપ્રદાયના સંગ્રહોમાંથી પણ નથી થઈ. હજુ તો બધા જૈન જ્ઞાનસંગ્રહોનું સંપૂર્ણપણે અવલોકન થયું જ નથી તે છતાં તેની વિવિધતા અને વિશાળતા વિઠજજગતને દંગ કરી દે તેવી પુરવાર થઈ છે, પરંતુ જ્યારે આ સમગ્ર જ્ઞાનભંડારોનું અવલોકન વ્યવસ્થિત રીતે કરવામાં આવશે ત્યારે તેમાંથી એવો સાહિત્યરાશિ પ્રાપ્ત થશે કે જગત મુગ્ધ બની જશે, એવી આ એક નક્કર વાત છે. જૈન મુનિવરો અને જૈન શ્રી સંધોની આજે એ અનિવાર્ય ફરજ છે કે પોતપોતાના અધીનમાં રહેલા જ્ઞાનભંડારોનું સમગ્રભાવે સૂક્ષ્મ અવલોકન કરે. આટલું પ્રાસંગિક જણાવ્યા પછી આજે પ્રસ્તુત સ્મારકગ્રંથમાં નથ ગ્રંથનાં આદિ-અંતનાં પાનાંઓનું જે પ્રતિબિંબચિત્ર આપવામાં આવ્યું છે તેનો પરિચય અહીં કરાવવામાં આવે છે.
નવત્ર ગ્રંથ જેને દ્વારા નિયત્રીના નામથી પણ ઓળખવામાં આવે છે એ મૂળ ગ્રંથ આચાર્ય શ્રીમલવાદિવિરચિત છે. જેન દાર્શનિક આચાયો અને જૈન પ્રજા આ આચાર્યને “વાદી” તરીકે ઓળખે છે. આચાર્ય શ્રી હેમચંદ્ર સિદ્ધહેમ વ્યાકરણમાં ૩છેડ–પેન સૂત્રમાં અનુ મઝવા વિનં તાIિ, તસ્માન્ય દીનાઃ એમ મલવાદી આચાર્ય માટે જણાવ્યું છે.
જૈન દાર્શનિક ક્ષેત્રમાં સન્મતિતર્ક અને નયચક્ર એ બે ગ્રંથનું સ્થાન ઘણું ગૌરવવંતું છે. આ બન્નેય ગ્રંથોનું સંશોધન અને સંપાદન એ પંશ્રીસુખલાલજીના જીવનનું મુખ્ય ધ્યેય હતું, પરંતુ સન્મતિતર્ક ગ્રંથનું સંશોધન અને સંપાદન પં. શ્રીબેચરદાસ દોસીના સહકારથી કર્યા પછી નયચક્ર ગ્રંથના સંશોધન અને સંપાદનની વાત કેટલાક સંયોગોને લીધે ત્યાં જ વિરમી ગઈ ત્યાર પછી એ ગ્રંથનું સંશોધન અને પ્રકાશન ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ વતી પૂજ્યપાદ શ્રીઅમરવિજયજી મહારાજના વિદ્વાન શિષ્ય કવિશ્રી ચતુરવિજયજીએ હાથમાં લીધું. તેનો પ્રથમ ભાગ બહાર પડે તે પહેલાં આ આખા ગ્રંથનું સંશોધન અને સંપાદન સ્વત અવચરિ સાથે પૂજય આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરિજીએ સ્વતંત્ર રીતે કરવા માંડયું. પરંતુ જ્યારથી નયચક્રગ્રંથનું સંશોધન અટકયું હતું ત્યારથી એ ગ્રંથનું વિશિષ્ટ સંશોધન અને સંપાદન થાય એ વાત મારા હૃદયમાં વસી જ હતી, પ્રસંગે પ્રસંગે એ વિષે વિચાર પણ કરવામાં આવતો જ
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
હતો, પરંતુ જ્યાં સુધી એ ગ્રંથના વિશિષ્ટ સંશોધનને લગતો ભાર સમગ્રપણે ઝીલનાર વિદ્વાન કે વિદ્વાનો ન મળ્યા ત્યાં સુધી તે વિષે હું કશું કરી શક્યો નહિ. તેમ છતાં પં. શ્રીસુખલાલજીના કહેવાથી મને મુનિવર શ્રીજંબૂવિજયજી અને તેમની ચમત્કારિક સુયોગ્યતાનો પરિચય મળી ગયો હતો. એટલે તેમની હું શોધ કરતો જ હતો કે એ મહાનુભાવ કોણ છે અને કોના પરિવારના છે? ત્યાં જ અણધાયો મેધ વરસી પડે તેની જેમ અચાનક મને ખુદ મુનિવર શ્રીઅંબૂવિજયજીનો એક પત્ર આજે હું જે શહેરમાં અને જે સ્થાને રહું છું ત્યાં મળ્યો. મેં એ ઘરબેઠાં આવેલી જ્ઞાનગંગાને વધાવી લીધી અને નયચક્ર મહાશાસ્ત્રને સંશોધન અને સંપાદનનો ભાર તેમના ઉપર નાખ્યો અને તે સાથે તેને લગતી દરેક બાહ્ય સામગ્રી પૂરી પાડવાની જવાબદારી મારી અપસ્વ૯૫ શક્તિ અનુસાર મેં પણ સ્વીકારી.
| ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ અને પૂજયપાદ આચાર્ય મ0 શ્રીવિજયલબ્ધિસૂરિજી મહારાજ તરફથી આ ગ્રંથનું કાર્ય ચાલુ હોવા છતાં આ ત્રીજી પ્રવૃત્તિ આદરવાના મૂળમાં ખાસ એ કારણ છે કે પ્રસ્તુત મહર્દિક ગ્રંથના સંશોધન અને સંપાદન અંગેની આજે જે એક વિશિષ્ટ પદ્ધતિ છે અને સંશોધન કરતાં જે સમતુલા જળવાવી જોઈએ તેમ જ તે સાથે આજે ઉપલભ્યમાન વ્યાપક સામગ્રીનો જે રીતે ઉપયોગ થવો જોઈએ એ, બેમાંથી એક પણ કરી શકે તેવી શક્યતા તેમાં ન હતી. એ જ કારણસર આજે મહાદ્રવ્યવ્યય અને મહાશ્રમસાધ્ય આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ગ્રંથના સંશોધન માટે કેટલી અને કેવી વિપુલ અને મહત્ત્વની અલભ્ય-દુર્લભ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની નોંધ લેવાનું આ સ્થાન નથી, એટલે એ વાતને અહીં જતી કરીને માત્ર એ બધી સામગ્રીના ઉપર કળશ ચાવે તેવી જે અંતિમ સામગ્રી પ્રાપ્ત થઈ છે તેનો આ સ્થળે ઉલ્લેખ કરવામાં આવે છે.
પ્રસ્તુત નયચક્રગ્રંથ, કે જે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થશે, તેના સંશોધન માટે અમે જે અનેક પ્રાચીન પ્રતિ એકત્ર કરી હતી તેમાં બનારસના ખરતરગચ્છીય મંડલાચાર્ય યતિવર શ્રીહીરાચંદ્રજી મહારાજના સંગ્રહની અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીરંગવિમળજી મહારાજના સંગ્રહની પ્રતિઓ પણ સામેલ છે. એ પ્રતિઓના અંતમાં જે પુપિકા છે તે જોતાં ખાતરી થઈ હતી કે દ્વાદશાનિયચક્ર ગ્રંથની એક પ્રતિ પૂજયપાદ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ અને તેમના સહકારી મુનિવરોએ મળીને લખી હતી. આજે જાણવા-જોવામાં આવેલી નયચક્રગ્રંથની પ્રાચીન-અર્વાચીન હાથપોથીઓમાંથી માત્ર ભાવનગર શ્રીસંઘના જ્ઞાનભંડારની પ્રતિને બાદ કરતાં બાકીની બધી જ પ્રતિઓ એ, ઉપાધ્યાયજીએ લખેલી પ્રતિની જ નફ્લો છે. આ બધી નકલો લેખકોના દોષથી એટલી બધી ફૂટ અને વિકત થઈ ગઈ છે કે જેથી આ ગ્રંથના સંશોધનમ ઘણી જ અગવડો ઊભી થાય. આ સ્થિતિમાં પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં પ્રામાણિકતા વધે એ માટે ઉપાધ્યાયજી મહારાજે લખેલી મૂળ પ્રતિને શોધી કાઢવા માટે હું સદાય સચેત હતો. પણ તે પ્રતિ ક્યાંયથી હાથમાં ન જ આવી.
પરંતુ જૈન શ્રીસંઘના કહો, પ્રસ્તુત ગ્રંથના રસિક વિદ્વાનોના કહો કે પ્રસ્તુત ગ્રંથના સંશોધન પાછળ રાતદિવસ અથાગ પરિશ્રમ સેવનાર મુનિવર શ્રીજંબૂવિજયજીના કહો, મહાભાગ્યોદયનું જાગી ઊઠવું કેજેથી મારા પ્રત્યે પૂજ્યભાવભર્યા મિત્રભાવથી વર્તતા અને સદાય મારી સાથે રહેતા–પૂજયપાદકી ૧૦૦૮ શ્રી શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી મહારાજના પ્રશિષ્ય પન્યાસ મુનિવર શ્રીરમણીકવિજ્યજીએ આ વર્ષે દેવશાના પાડાના ઉપાશ્રયમાંના પન્યાસજી મહારાજ શ્રીમહેંદ્રવિમળજી મહારાજના જ્ઞાનભંડારને જોવાનો ઉપક્રમ તેમના શિષ્ય શ્રીહર્ષવિમળ”ની ઉદારતાથી કર્યો. આ ઉપક્રમથી એ જ્ઞાનભંડારનું અવલોકન કરતાં પં. શ્રીરમણીકવિજયજીના હાથમાં શ્રીયશોવિજયજી મહારાજના ત્રણ અલભ્ય ગ્રંથો તેમના
Page #3
--------------------------------------------------------------------------
________________
श्री विजय सूरीश्वर शिष्यम दोषाश्राय श्री कल्पापाविजयगा शिष्य कितना विजयुग स पति श्री जीत विजयी यदि सोवियपरक राज्ये श्री विजयदेवरी । नियचक्र स्पादशी त्रयोविरज म्पक्तिनामि ॥१॥ नमः ॥ जयतिनय चुक्रनिर्मित। निःशेषविपक्षतिः श्री वादिनिय सुनन न तल दिवखान् एत्रीत महार्घमा नय य कारव्य शास्त्रविवरमिमनु
दीनो पतिकतिजनायामानुसारिनयशास्त्रमा र मंगलाई शासन द पारामा मला। मात्रोतिशील मस्त वाया पिलादिकस्तानी किदा किंमतत्वात्सर्वरम्वादिवसात त्कर्ष जैनेन् शासनेन व्याप्त या देशात दूघाएक वरमा परि मनदै खाजाविके । पुरस्कृतात्कायोर्महस्क कामरान एक विपया। व्यापा तनाव तथागताना धर्माकाशका लेरापेक्षिके जीवनम पिजाविकपारज दि है कृपयागुजारीरादिनिरतस्तमुपते धमाहतस्वरूपा ताददाता सर्व षाड्यांपरतविशेष तादामते। एवं वरुत्पतिसंमुख मोरनिश्नत्ययहारनिष्यफलयारा वादिदोषास्त्रविषययादेकमा श्रीयते एकस्वमिति प्रत्येक परिसमातेर साधारणधनवानामसको एकिन त जा श्चिकं चिदपे
इत्येकमेकमेव तदर्पणादेवात्म र मिति पत स्पष्टवक्यस्व परत सम पीतिवत्वमुत्तरेधप्पन तमेतदविका जनावादा शेरविशेषितत्वाध तत्काल तो पिच सादियमपनि। प्रोगेरिमे दिया परदेतो तर तो सादिमादिपादा पकाउ
रचितेऽमन्म तिनयान तारू दिन यशास्त्रे धरातनैगमादिप्रत्येक शत संख्यात्मक मत्तनम तारमवचकाध्ययना नुसारिषु । तस्मिंश्वा मनमशतारचक्राध्ययनेच सत्य विधादशारन यचक्रो दुःषमा काल दोष बल प्रतिदिन प्राय माण मे वा युर्बजोत्पारश्रासं वेग वसाधारणादिशक्तीनां स व्यसत्वानां श्रवणभवता वहुतं त्वापि तत्वाव बोध बुधी तत्व मन्यम्य व्यवहार कालपरत्र त्यायतंत्र त्याद रोड सः सत्पष्पाद रेंग्रमार्ष सम्मरताहमुद्रा ताप्रतिपादनात् पाखदामेतिमत्या तदखिन्नास्ति र घनी रुत्महेपानिबांबित शिक्षक जना गृही । कथं नामाज्यीय साकलिननय चक्रमधायेरन्। इमे सम्पदृयइत्यनयानुक पयासं कि तब मदन मचक्रशास्त्रं । श्रीमत तपटमध्ये वादिक मा श्रमणन विहितं स्वमातिस्वपरात्र मेलविजिताशेषप्रवादिविजिगीषुचक्र वि जयिनामिकलन नत विज मवा सिन्नृपतिवि जिगाषु च क्रविजयिनेवान्तरतच बाईना देवता परिगर ताप्रति त्वक्ररन्त्रन् । स्वपुत्र पर परोनुयायिजगद्या विविध विपुल विमला या चरन्नमिव तदि देनमचरन्नाचक्र वृर्तिनामिवचक्ररत्र पौत्रादिन्नृपतीनां विहितं किममितिचेऽच्मताच बर्तिनामिवचक्रवर्तित्वविधये वादिनां जे नानाजिनशासनप्रज्ञावना तानां वादिचक्रवर्तित्व विश्वमेधयेवादिचक्रवत्वं वाघ यादित्यतममित्येत स्पेन यचक शास्त्रम्प विधाने प्रयोजनमनि रितन देवदेवं याद मा सारनमचक्र मिश्रतितिममारि तंचक्रवर्त्तिचक्ररन्नवदेवान्यापि वित्पशक्ति पराचिन युक्तं चसि सि मामृहांचमंगले कस्याशिष्य शिष्पपरप रमा प्रतिष्ठा प्रमर्हति। प्रतिष्टितनिध विजयावर जगन्म ६ स्वसि६ यत्प्रतिष्टिते यशस्कर मितिब (इति) मलवादिकमाश्रमणपादचत नयचक्रस्प समाता बनायंचा सं १८०० ८०००|| यात्राक
दृष्टा तादृशलिखित म मा । यदि ६ म६ वा ममदोषोन दायते ॥ सबल१७-१० वर्ष यो सवदि१३ दिने श्रीपतन नगरे ॥ पं- श्री यशविजयेन के लिखितं । संवव ॥ उदकानन चौरे त्यो। खके विशेषतः शकटेन लिखि शास्त्रे । यन्ते नत्र तिपाल मेल । मानप्रधिकरिणीबाधस्तत्र खीष्टनलिखितशास्त्रं । यन्ते न प्रतिपालयेत् ॥ २॥ यशविजयगनिवाचित ॥ यादव संरचित राज्यश्री विजय देवी जामन्यामेरमीषाम निशाना विकटयामि शवि श्रीनयांबजारमा निःश्री विजयाला कॉन रातलवि मनायामम कर्बततिखने। जिसहरविविर्य कुनै रातक विजय विश्वभः। यंत्रामनेनानुमतिमानाबाद गुणमत्सरमार्जनी हातानना नमस्तरीय मेहदानक्ति अनवरत निर्म मदनपुत्रिकेनहरिताश्रमः मृत पड याजयनिरि
अजर
सिंहवादिगण क्षमाश्रमण कृत नयचक्र टीका
उपाध्याय श्रीयशोविजयजी महाराजना हस्ताक्षरमां
[ पृष्ठ १८१
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
નયચક્રની હાથપોથી
१८३
પોતાના જ હસ્તાક્ષરમાં પ્રાપ્ત થયા અને તે તેમણે મને આપ્યા. એમાં એક વાવમાસ્ત્ર નામનો ગ્રંથ ( छपायेस वादमालाथी उहो ), श्रीने वीतरागस्तोत्र अष्टमप्रकाशवृत्ति ( स्याद्वादरहस्य ? ) अंतिम सोड વ્યાખ્યા અપૂર્ણ પર્યંત અને ત્રીજો મલ્લવાદી આચાર્યરચિત નયચક્ર ગ્રંથની પ્રતિ—એ રીતે ત્રણ અપૂર્વ ગ્રંથો મને આપ્યા. આ ત્રણેમાંથી નયન ગ્રંથની પોથી જોતાં મને હર્ષરોમાંચ પ્રકટી ગયા અને અપૂર્વ સ્વર્ગીય આનંદનો પ્રત્યક્ષ અનુભવ થયો.
આ પ્રતિના અંતમાં ઉપાધ્યાયજી મહારાજે જે પુષ્પિકા આલેખી છે એ તો વર્ષો પહેલાં ભાવનગરથી પ્રસિદ્ધિ પામતા ‘શ્રી આત્માનંદ પ્રકાશ 'માં મુનિ શ્રીભૂવિજયજીએ પ્રસિદ્ધ કરી જ દીધી છે. તે છતાં પ્રસ્તુત સ્મારક ગ્રંથમાં ઉપાધ્યાયજી મહારાજની એ પોથીના પ્રતિબિમ્બને સાક્ષાત્ જોનારા રસિક ભક્ત વાચકોને અતૃપ્તિ ન રહે તે માટે એ આખી પુષ્પિકા અહીં આપવામાં આવે છે.
प्रतिष्ठितसिद्धविजयावह जगन्मूर्द्ध स्थसिद्धवत् प्रतिष्ठितं यशस्करमिति ॥ छः ॥ इति श्रीमल्लवादिमाश्रमणपादकृत नयचक्रस्य तुम्बं समासम् ॥ छः || ग्रंथाग्रं १८००० ॥
यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया ।
यदि शुद्ध शुद्धं वा मम दोषो न दीयते ॥ १ ॥
संवत् १७·१० वर्षे पोसवदि १३ दिने श्रीपत्तन नगरे | पं० श्रीयशविजयेन पुस्तकं लिखितं । शुभं भवतु ॥
उदकालचौरेभ्यो । मूखकेभ्यो विशेषतः ।
कष्टेन लिखितं शास्त्रं यत्नेन प्रतिपालयेत् ॥ १ ॥ दृष्टिकटिग्रीवा । दृष्टिस्तत्र अधोमुखी । कष्टेन लिखितं शास्त्रं यत्नेन प्रतिपालयेत् ॥ २ ॥
पूर्व पं० यशविजयगणिना श्रीपन्तने वाचितं ॥ छ ॥
आदर्शोऽयं रचितो । राज्ये श्रीविजयदेवसूरीणां । संभूयैरमीषा | मभिधानानि प्रकटयामि ॥ १ ॥ विबुधाः श्रीनय विजया गुखो जयसोमपंडिता गुणिनः । विबुधाश्च लाभविजया गणयोऽपि च कीर्त्तिरत्नाख्याः ॥ २ ॥ तत्त्वविजय मुनयोऽपि प्रयासमात्र स्म कुर्वते लिखने । सह रविविजयैर्विबुधैरलिखच्च यशोविजय विबुधः || ३ || ग्रंथप्रयासमेनं । दृष्ट्वा तुष्यंति सज्जना बाढं ।
गुणमत्सर व्यवहिता । दुर्जनदृक् वीक्षते नैनं ॥ ४ ॥ तेभ्यो नमस्तदीयान्स्तुवे गुणांस्तेषु मे दृढा भक्तिः । अनवरतं चेष्टं जिनवचनोद्भासनार्थे ये ॥ ५ ॥ श्रयोस्तु || सुमहानप्ययमुच्चैः । पक्षेणैकेन पूरितो ग्रंथः । कर्णामृतं पटुधियां जयति चरित्रं पवित्रमिदं ॥ ६ ॥ श्रीः ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આ પુપિકામાં એમ જણાવવામાં આવ્યું છે કે “પ્રસ્તુત હાથપોથી પાટણમાં વિ.સં. ૧૭૧૦માં લખી છે. એ લખવા પહેલાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ આખો ગ્રંથ પાટણમાં વાંચી લીધો હતો અને ત્યાર પછી શ્રી વિજયજી મહારાજ, શ્રી જયસોમ પંડિત, શ્રીલભવિજયજી મહારાજ, શ્રી કીર્તિરત્ન ગણી, શીતવિજયજી, શ્રીરવિવિજય પંડિત અને ખુદ શ્રીયશોવિજયજી મહારાજ, એમ સાત મુનિવરોએ મળીને ૧૮૦૦૦ શ્લોક પ્રમાણે આ મહાકાય શાસ્ત્રની માત્ર એક પખવાડીઆમાં–પંદર દિવસમાં જ પોથી લખી છે–નકલ કરી છે.”
આ ગ્રંથની નકલ કરવા માટે આટલી બધી ઉતાવળ કરવી પડી એ એક નવાઈ જેવી વાત છે. શું જેમની પાસે આ ગ્રંથની વિરલ પ્રતિ હશે તેમણે આવી ફરજ પાડી હશે કે શું?–એ એક કોયડો જ છે. અસ્તુ. આ ગ્રંથ કેટલા મહત્ત્વનો અને જૈન દાર્શનિક વાસ્મયના અને જૈન શાસનના આધારસ્તંભરૂપ છે? એની પ્રતીતિ આપણને એટલાથી જ થાય છે કે શ્રીયશોવિજયજી જેવાએ આ ગ્રંથની નકલ કરવાનું કાર્ય હાથ ધર્યું.
પ્રસ્તુત પ્રતિને લખવામાં જે સાત મુનિવરોએ ભાગ લીધો છે તેમના અક્ષરો વ્યક્તિવાર પારખવાનું શક્ય નથી. આ લખાણમાંથી આપણે માત્ર શ્રીયશોવિજયજી મહારાજ અને તેમના ગુરુવાર શ્રીયવિજયજીના હરતાક્ષરોને પારખી શકીએ તેમ છીએ. આ ગ્રંથમાં પત્ર ૧થી ૪૪, પ૭થી ૭૬. ૨૫૧થી ૫૫ અને ૨૯૧થી ૨૯૪ એમ કુલ્લે ૭૩ પાનાં શ્રીયશોવિજયજીએ લખેલાં છે, જેના અક્ષરો ઝીણા હોઈ એકંદર ૪૫૦થી ૪૮૦૦ જેટલી શ્લોકસંખ્યા થાય છે. શ્રીયશોવિજયજી મહારાજ પંદરે દિવસમાં ચોકકસાઈભર્યું આટલું બધું લખી કાઢે, એ એમની લેખનકળાવિષયક સિદ્ધહસ્તતાનો અપૂર્વ નમૂનો જ છે અને એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરે તેવી હકીકત છે.
પ્રસ્તુત પ્રતિનાં કુલે ૩૦૯ પાનાં છે. તેમાં પંક્તિઓનાં લખાણનો કોઈ ખાસ મેળ નથી. સૌએ પોતાની હથોટી પ્રમાણે લીટીઓ લખી છે છતાં મોટે ભાગે ૧થી ઓછી નથી અને ૨૪થી વધારે નથી. પ્રતિની લંબાઈ– પહોળાઈ ૧૦૪૪ ઇંચની છે. ૩૦૯મા પાનામાંની અંતિમ છ શ્લોક પ્રમાણુ પુપિકા શ્રીયશોવિજયજી મહારાજે લખેલી છે.
અંતમાં એક વાત જણાવીને આ વકતવ્ય પૂરું કરવામાં આવે છે. આજે આપણને નયચક્ર ગ્રંથની જે પ્રાચીન-અર્વાચીન પોથીઓ મળે છે અને શ્રીયશોવિજયજી મહારાજના હાથની જે પોથી મળી આવી છે તે માત્ર નવ શાસ્ત્ર ઉપર આચાર્ય શ્રીસિંહવાદિ–ગણિ-ક્ષમાશ્રમણે રચેલી ટીકામાત્ર જ છે. આજે જૈન શ્રીસંઘના ભાગ્યસિતારાની નિસ્તેજતા છે કે આચાર્ય શ્રીમલવાદિપ્રણીત એ મૂલ્યવાન ના ગ્રંથની નકલ આજે ક્યાંય જોવામાં નથી આવતી. આ ગ્રંથની હાથપોથીને શોધી કાઢનાર ખરેખર જૈન જગતમાં જ નહિ પણ સમસ્ત વિઠજજગતમાં સુદ્ધાં દૈવી ભાગ્યથી ચમકતો ગણાશે, મનાશે અને પૂજાશે.