Book Title: Vijay Kesharsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249132/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શાસનપ્રભાવક પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય પ્રવર શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવ પૂ. આ. શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસ્વયં પ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયૉરત્નસૂરીશ્વરજી મહારાજ જેમનાં નયનોમાંથી હંમેશાં નિતાન કરુણની પીયૂષ ધારા વહેતી હતી, જેમના મનમંદિરમાં સતત કારનું રટણ અને વ્યાખ્યાન-વાર્તાલાપમાં તત્ત્વજ્ઞાનનું સિંચન થયાં કરતું, એવા બાલબ્રહ્મચારી, જૈન સંસ્કૃતિના શણગાર, અનેક શાસ્ત્રગ્રંથોના રચયિતા, યોગનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ જેનશાસનના શ્રમણોઘાનમાં અનેક પરમ સૌરભભર્યા ફૂલડાં ખીલ્યાં છે. એ લેના મઘમઘાટ વડે સમસ્ત ભારતવર્ષ સુરભિત બન્યું છે. એવાં અનેક ફૂલડાંઓમાં અનેરી ફેરમ પ્રસરાવતું એક પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ, ૩કાર જાપના પૂર્ણ સિયા, યોગવિદ્યાના મહાન સાધક, વર્તમાન પેઢીને પથદર્શક બની રહે તેવા સાહિત્યના સર્જક અને અક્ષરદેહે અક્ષર, અજર, અમર સૂરિજી શાસનના એક પ્રભાવક આચાર્ય હતા. પૂજ્યશ્રીનું સંસારી નામ કેશવજી હતુ. સં. ૧૯૩૩ના પિષ સુદ પૂનમને દિવસે પાલીતાણા-તીર્થાધિરાજની 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ શ્રમણભગવંતો-ર પાવન છત્રછાયામાં તેમને જન્મ થયો હતો. કેશવજીનું વતન બેટાદ પાસેનું પાળિયાદ ગામ, અને મોસાળ પાલીતાણા હતું. પિતાનું નામ માધવજી નાગજી અને માતાનું નામ પાનબાઈ હતું. જ્ઞાતિએ વિસા શ્રીમાળી અને વ્યવસાયે વેપારી હતા. પાલીતાણામાં જન્મેલા કેશવજીએ ત્રીજા પ્રેરણ સુધીનો અભ્યાસ પાલીતાણામાં જ કર્યો. સં. ૧૯૪૦માં કુટુંબ વઢવાણ કેમ્પ રહેવા આવ્યું. ત્યાં કેશવજીએ આગળ વધી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. પરંતુ આ દરમિયાન એક અતિ આઘાતજનક બનાવ બન્ય. ત્રણ દિવસના અંતરે માતા અને પિતાના અવસાન થયાં. આ કારમો આઘાતથી કેશવભાઈનું મન સંસાર પરથી ઊઠી ગયું. એવામાં વડેદરા મુકામે પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયો અને ભાઈ કેશવજીની વૈરાગ્યભાવના દ4 બની. સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમણે પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી કેશરવિજયજી મહારાજ ગુરુચરણે બેસી ગયા. વિદ્યાભ્યાસ અને જપ-તપમાં નિમગ્ન બની ગયા. વડોદરા અને સુરતની સ્થિરતા દરમિયાન અનેક શાને ઊંડો અભ્યાસ કર્યો. પછી તેઓશ્રીનું મન યુગ તરફ વળ્યું. તે રુચિ જીવનભર ટકી રહી. જીવનના છેલ્લા શ્વાસ સુધી મેગ, ધ્યાન અને અષ્ટાંગયોગના સાધક બની રહ્યા. યુગપ્રાપ્તિ માટે તેઓશ્રીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પૂજ્યશ્રીના સાધક જીવનમાં ૐકારનો જાપ સતત ચાલતે. ૩ૐકાર જાપ માટે પૂજ્યશ્રી સૌને આગ્રહ પણ કરતા. ધર્મશા અને યોગવિદ્યાના વિશાળ અને ગહન જ્ઞાનના પરિપાક રૂપે પૂજ્યશ્રી પાસેથી ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં યેગશાસ્ત્ર, જ્ઞાનદીપિકા, મ્યદર્શન, ગૃહસ્થધર્મ, નીતિમય જીવન, આત્માને વિકાસક્રમ, મહામહને પરાજય, મલયસુંદરીચરિત્ર, પ્રભુ મહાવીર તવપ્રકાશ, આત્મવિશુદ્ધિ વગેરે મુખ્ય છે. પૂજ્યશ્રીને સં. ૧૯૬૩માં સુરત મુકામે ગણિપદવી અપાઈ સં. ૧૯૭૪માં મુંબઈમાં પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પરંતુ ત્યાર બાદ પૂ. ગુરુદેવ શ્રી વિજયકમસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ થતાં તેઓશ્રી પર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. ત્યારથી તેઓશ્રીની રોજગ જાણવાની ઈચ્છા દબાઈ ગઈ. પિતાના સમુદાયનું બંધારણ ઘડવા વઢવાણમાં સંમેલન યેર્યું. પૂજયશ્રીની વિદ્વત્તા, વકતૃત્વ અને ગસિદ્ધિને ઘણો પ્રભાવ પડવા લાગે. અનેક ભવ્યાત્માઓ તેઓશ્રીના વરદ હસ્તે સંયમમાગે સંચર્યા. જેને જ નહિ પણ પારસી, મુસલમાન, મચી આદિ કેમના માણસે પર પણ તેઓશ્રીએ ઘણે જ પ્રભાવ પાથર્યો. પૂજ્યશ્રીની ચપાસ વધતી પ્રભાવનાને લક્ષમાં લઈ સં. ૧૯૮૩ના કારતક વદ ૬ને શુભ દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયો. સં. ૧૯૮૫માં વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરીને પૂજ્યશ્રી તારંગાઇ ગયા. ત્યાં ગુફામાં ધ્યાનાવસ્થામાં હતા ત્યાં જ શરદીના ભયંકર હુમલાથી હૃદય પર અસર થઈ અને તેઓશ્રીને અમદાવાદ લાવવામાં આવ્યા. અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં રાખવામાં આવ્યા. કેન્સર જાહેર થતાં ઉપચાર શરૂ થયા. શ્રાવણ વદ પાંચમે પૂજ્યશ્રીએ અન્નજળને ત્યાગ કર્યો અને સ્કાર મંત્રના સતત જાપ સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન વખતે, વાર્તાલાપ વખતે, 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ 304 શાસનપ્રભાવક કિયાકલાપ વખતે જેમનાં નયનેમાંથી અમીધારા વહેતી, તે પ્રેમપૂર્ણ નયને આ ક્ષણભંગુર દુનિયા છોડી સદાને માટે અદશ્ય બની ગયાં. પૂજ્યશ્રીના દેહાવસાને સમગ્ર સમાજમાં શોકનું વાતાવરણ રચી દીધું. પરંતુ તેઓશ્રીના અક્ષરદેહે અમરતા અને આનંદનો આશ્વાસનભાવ જગવી દીધે! એવા એ ગીરાજ વત્સલમૂતિ સાધુવર્યને હૃદય પૂર્વક કટિ કોટિ વંદના ! (સંકલન : “જૈન ”ના “સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક માંથી સાભાર) શાસનના મૂક સેવક, સરળરવભાવી વત્સલમૂતિ સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં જે આચાર્યદેવે થયા, તેમાં આચાર્યશ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ એક પ્રભાવશાળી સાધુવર્ય હતા. તેઓશ્રી વિશે વિશેષ વિગત પ્રાપ્ત થતી નથી. તેઓશ્રીની જન્મભૂમિ લીંબડી હતી. સુરેન્દ્રનગરવાળા સુપ્રસિદ્ધ આગેવાન શ્રી ચંદુલાલ વર્ધમાન સંસારી સંબંધે તેમના ભાણેજ થતા હતા. પૂ. આ. શ્રી વિજયકેશરસૂરિજી મહારાજ પછી એક વર્ષે તેમણે દીક્ષા લીધી હતી અને જીવ્યા ત્યાં સુધી તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવાસુશ્રષા કરી હતી. સુરત જિલ્લાના કીમ પાસેના તડકેશ્વર ગામના જિનાલયને જીર્ણોદ્ધાર કરવામાં પૂ. આ. શ્રી વિજયલાભસૂરિજી મહારાજનું મોટું પ્રદાન હતું. પૂજ્યશ્રી બહુ વિદ્યાભ્યાસી ન હતા, પરંતુ સેવાભાવના અને પરોપકારવૃત્તિ હોવાને લીધે સૌના પ્રીતિપાત્ર અને આદરણીય બન્યા હતા. વર્તમાનમાં પૂજ્યશ્રીના શિષ્ય આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરિજી મહારાજના વ્યક્તિત્વને જોતાં પૂજ્યશ્રીના વિનમ્ર, દયાળુ અને સેવાભાવી સ્વભાવની ઝાંખી થાય છે. પૂજ્યશ્રી અન્ય સમુદાયના સાધુઓની સેવામાં પણ એટલા જ મગ્ન રહેતા. હંમેશાં સતત શાસનપ્રભાવનામાં કાર્યરત રહેતા. જેનસમાજની ઉન્નતિ માટે તત્પર રહેતા. સૌ કેઈ ધમપાલનના અનુરાગી રહે તેવી ખેવના રાખતા. પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સ્નેહ, શાંતિ અને સંપનું વાતાવરણ સર્જાયું હતું. એવા એ પરમ સેવાવ્રતી સાધુવરને અંતઃકરણપૂર્વક શતશઃ વંદના ! -- -- સંસ્કાર–સંજીવની દાતા, તપ-ધ્યાન-યોગના પ્રણેતા, અધ્યાત્મનિષ્ઠ યોગીરાજ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાપુરુષોનાં જીવન સ્વચ્છ અરીસા સમાન હોય છે. અરીસામાં જેવાથી જેવી હોય તેવી આકૃતિ દેખાય છે, તેમ મહાપુરુષોના જીવન સામે આપણું જીવન જેવું હોય તેવું સ્પષ્ટ થાય છે. આપણું આંતરવિશ્વ દયાળુ છે કે ક્રોધી, માની છે કે સરળ, નગ્ન છે કે અભિમાની, લેભી છે કે ઉદાર, સંસ્કારી છે કે અસંસ્કારી - એને પરિચય થાય છે. અને એ 2010_04