Book Title: Vadidevsuri nu Janmasthan Kayu Author(s): Gokulbhai Daulatram Bhatt Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf Catalog link: https://jainqq.org/explore/211903/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ વાદિદેવસૂરિનુ જન્મસ્થાન કર્યું ? શ્રી ગોકુળભાઇ દૌલતરામ ભટ્ટ ગયે વર્ષે પંડિત ખેચરદાસજી દોશીનો “ ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ ” તાનક ગ્રન્થ ફરીને ઉથલાવતો હતો તેનાં પૃષ્ઠ ૨૨૧ ઉપરના એક ઉલ્લેખ તરફ મારું ધ્યાન વિશેષે કરીને ગયું : "C વાદિદેવસૂરિ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાણ્ડ પંડિત હતા, પ્રખર તૈયાયિક અને અદ્ભુત કવિ હતા. શ્રી હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકા ઉપર ટિપ્પણુ લખનાર મુનિ ચંદ્રસૂરિ દેવસૂરિના ગુરુ પણ મહાપંડિત, તપસ્વી અને સુવિહિતાગ્રણી હતા અને વાદિદેવસરિના શિષ્યો ભદ્રેશ્વરસૂરિ તથા રત્નપ્રભસૂરિ વગેરે પણ મહાવિદ્રાન હતા. વાદિદેવસૂરિનું જન્મસ્થાન ‘મદૃાહત” આજનું ‘મદુ’ આયુની આસપાસ ગુજરાત દેશના અષ્ટાદશશતી નામના એક પ્રાંતમાં તે સ્થાન આવેલું છે. રિનો જન્મ વિક્રમ સંવત્ ૧૧૪૩, જાતિ પોરવાડ, પિતા વીરનાગ, માતા જિનદેવી, આચાર્યનું મૂળ નામ પૂર્ણંચંદ્ર. ‘ મદુઆ ’માં મહામારિનો ઉપદ્રવ થયો. વીરનાગ પોતાના એ ગામને છોડીને ભરૂચમાં રહેવા આવ્યો...” " શ્રીવાદિદેવસૂરિજીની વાદપટુતા, વિદ્વત્તાની વિગતોમાં ઊતરવાનો તથા ગુજરાતની સીમાની ચર્ચા કરવાનો ઉદ્દેશ અત્રે નથી. દેવસૂરિજી જેવા વિદ્વાનનું જન્મસ્થાન કયું એની જિજ્ઞાસા જાગી. · મદાહુત તેજ ‘મહુઆ' કે ‘ભાર-મઢાર ? ' એવો તર્ક ઊયો. મને જે કાંઈ મળી શકયું છે તે પંડિત બેચરદાસજી તથા અન્ય વિદ્વાનોની વિચારણા—પુનઃવિચારણા માટે તથા સત્ય તારવવાની દૃષ્ટિએ રજૂ કરું છું. # વાદિદેવસૂરિજી પોતાના અદ્વિતીય · પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ' નામના ગ્રંથમાં પ્રમાણુ અને નયનું સ્વરૂપ પોતાના કાળ સુધીની ભિન્નભિન્ન માન્યતાના અવલોકનપૂર્વક યોગ્ય એકીકરણ કરી બહુ જ સુંદર રીતે સ્થાપે છે”. આ ગ્રન્થના ગુજરાતી અનુવાદક શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી સન ૧૯૭૨માં સુરિજીનો જીવનપરિચય ઉપર પ્રમાણે કરાવતાં પૃષ્ઠ ૮ ઉપર લખે છેઃ * વાદિદેવસૂરિ જ્ઞાતિએ પોરવાડ વણિક હતા ને જેએનો જન્મ ‘મહુાહત” નામના ગામમાં થયો હતો, જે આજે ઉચ્ચારમાં બદલાઈ ને આયુ પાસે આવેલા વૈષ્ણુવોના તીર્થ મદુઆ તરીકે પ્રસિદ્ધ છે... આ ‘ મહાર ’ યા ‘ મહુઆ ’ ગામમાં દૈવયોગે મહાન મરકી થઈ અને જેથી પોતાના કુટુંબના રક્ષણ માટે વીરનાગને બાળક અને સ્ત્રી સહિત ભચ નગરમાં આવવું પડયું...” ‘ મદાહત ’ તે મહુ એ પંડિત બેચરદાસનું કથન; ‘મડ઼ાહત’ તે ‘ મદુઆ-મડાર' એ શ્રી ગાંધીનું વિધાન. મુનિ કલ્યાણવિજયજીના મતાનુસાર ‘ મણ્ડાહડ ’ આજનું ‘ મદુઆ ’ સ્થાન છે. હવે આપણે આ સંબંધી અન્ય ઉપલબ્ધ વિગતોનું અવલોકન કરીએ. આબુરોડ પાસે છ માઈલ દૂર આવેલા ‘ મ ' સ્થાનનો તિહાસ જાણી લેવો જરૂરી છે. મહુઆજી આયુરોડથી ભડાર તરફ જતી પાકી સડક ઉપર આબુરોડથી છ માઈલ દૂર છે. તે મુંડસ્થલ (મુંગથલા) તીર્થથી અરધો માઈલ દૂર પશ્ચિમ દિશા તરફ છે. રાજા અંબરીષની રાણી તોરાવટીએ આ વૈષ્ણવ મન્દિર ‘ મધુસુદન ’નું બંધાવ્યું હતું. એમાં શ્રીકૃષ્ણ ભગવાનની ૪ ઈંચની ખડી પ્રતિમા છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ વાદિદેવસૂરિનું જન્મસ્થાન કયું? 133 મન્દિરની બહાર એક કોતરણીવાળો દરવાજો છે. આ કયાંકથી લાવવામાં આવ્યો છે. આ સ્થાનનું મૂળ નામ શિલાલેખોમાં “ફિલણીગાંવ ' મળી આવે છે. સંવત ૧૬૦૦થી લખાયેલ તામ્રપત્રોમાં તથા અન્યત્ર “ભદુઆજી” તથા “મધુસુદન” આ નામોનો જ ઉલ્લેખ છે, ક્યાંય પણ આ સ્થાન માટે ‘મદાત , મડ઼ાહત, ભરૂાહ”નો ઉલ્લેખ નથી. “મડુહગછની પરંપરા ' નામક એક હિંદી લેખમાં પુરાતત્વના અભ્યાસી રાજસ્થાનના વિદ્વાન શ્રી અમરચંદજી ભંવરમલજી નાહટા લખે છે : મુનિવર જયન્તવિજયજી કે ઉલ્લેખાનુસાર ભડાહડગઇકા નામકરણ જિસ મ ડાહડ સ્થાન કે નામસે હુઆ હૈ વહ વર્તમાન મડા૨ (અઢાર) હૈ, જે કિ સિરોહી સે નૈઋત્યકોણ મેં 40 માઈલ ઔર ડિસાસે ઈસાનકોણ મે 24 માઈલ હૈ. ભટાણસે વાયવ્ય કોણ મેં 7 માઈલ આર ખરાડીએ (આબુરોડસે) 26 માઈલ પશ્ચિમમેં હૈ. સિરોહી રાજકે તહસીલકા યહ ગાંવ હૈ. “મડાહડ સ્થાન પ્રાચીન છે. સુપ્રસિદ્ધ વાદિદેવસૂરિ વહીં કે પોરવાડ વીરનાગકે પુત્ર છે... મારમેં અભી ધર્મનાથ ર મહાવીર સ્વામી કે દો મન્દિર હૈ. યહાં પર મેઘજી ભટ્ટારકા ઉપાસરાબી હૈ, જે કિ ગછ કે થે. મણિભદ્રયક્ષકા મન્દિર, જો માર દેવીકા મન્દિર ભી કહલાતા હૈ..” (પૃષ્ઠ 96). સિરોહી મહારાવસાહેબના અંગત મંત્રી શ્રી અચલમલજી મોદી પાસેથી પણ નીચેની ખાસ વિગતો મળી છે: (1) સિરોહી શ્રી અજીતનાથ ભગવાન કે મન્દિર મેં એક પાર્શ્વનાથ ભગવાનકી એક તીર્થ હૈ, જિસ પર નિમ્નલિખિત લેખ હૈ: “સં. 1138 માર્ગ શુઇ 10 ધારાગ મડાહડ સ્થાને વર્ધમાન શ્રેયોર્થ દેવચંદ્ર સુતેના વણુદેવ નકારિત” મહોત્સવ મેં ફાગણ વદિ 8 કા દિન મડાહડ કે જૈનોં કો મનાના ઐસા ઉલ્લેખ હૈ. (3) મડાહડ દેવી કે મન્દિર કે બહાર એક શિલાલેખ હૈ ઉસકા સંવત ભી 1287 કા હૈ. શ્રી મેઘરચિત પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ. 54 કડી 11. “મડાહડી સાડી વડગામ સાચરઉ શ્રી વીર પ્રણામ' (મડાર–મંડાર, વડગામ વગેરે વગેરે સાઠ ગામોનો સમૂહ છે જેને સાડી કહેવાય છે.) આવી જ રીતના નામપ્રયોગો અન્ય તીર્થમાળાઓમાં છે: નયર મડાડ, મઢાડિ વગેરે. વ્યુત્પત્તિશાસ્ત્રનો આધાર શોધવા જઈએ તો શું પરિણામ આવે? આપણું પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ મુનિ જિનવિજ્યજીને પૂછતાં તેમણે– ભદાહત–મડાદ-મઢાર–મડાર–મંડાર; ભદાહુદ-દાહત-મડાહર-મઢાર એ કેમ બતાવતાં કાસદ-કાસાહત-કોરહર-કાયંદ્રા, (સિરોહી જિલ્લાનું કાસીંદ્રા) એ દષ્ટાંત આપ્યું. તો પ્રશ્ન ઉઠે છે-મદતનું મદુઆ કેવી રીતે ફલિત થયું ? ! વળી એ સ્થાને જૈનોની વસતિ હતી કે ?! 1. અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિ સંમેલન સંસ્થાપિત શ્રી જૈન ધર્મસયપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર " શ્રી જૈન સત્યપ્રકાશ 'ના ૧૯૫૫ની સાલના 15 ફેબ્રુઆરીના અંકમાં.