Book Title: Vachanamrut 0535
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330656/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 535 શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય મુંબઈ, કારતક સુદ 3, બુધ, 1951 તમને બે પત્તાં લખ્યાં છે તે પહોંચ્યાં હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. માટે કદાપિ કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. તોપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી. શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણ કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણ જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે; અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે.