Book Title: Vachanamrut 0333 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330453/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 333 (સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી મુંબઈ, ફાગણ સુદ 4, બુધ, 1948 1‘સત્પષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે ?' એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે, અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય છે જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે. “શુદ્ધતા વિચારે ધ્યાવે’ એ પદ વિષે હવે પછી લખીશું. અંબારામજીના પુસ્તક વિષે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લખ્યો તે વિષે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે; પણ સિદ્ધાંતજ્ઞાનમાં વિઘટતી વાતો લાગે છે, અને તેમ જ છે, તથાપિ તે પુરુષની દશા સારી છે; માર્ગાનુસારી જેવી છે, એમ તો કહીએ છીએ. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સુક્ષ્મ છે. પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ પછી, ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશો. પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે. 1 શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તરઃ “નિર્પક્ષ થઈ સત્સંગ કરે તો સત્ જણાય ને પછી પુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત્ કૃપા એ જુદી વાત છે.”