Book Title: Uccha Shikshanni Bodh Bhasha Ek Prashnaottari
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249255/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા : એક પ્રશ્નોત્તરી [ ૩૨ ] ૧. વિશ્વવિદ્યાલયમાં બેધભાષા કઈ હોવી જોઈએ એ પ્રશ્નને ઉત્તર દુનિયાનાં બધાં જ અનુભવી અને પુરાતન વિશ્વવિદ્યાલય આપી રહ્યાં છે. ટાગેર તેમ જ ગાંધીજી જેવા દ્રષ્ટાઓ એ ઉત્તર અસંદિગ્ધપણે આપી ગયા છે. વળી, બધા જ જન્મસિદ્ધ કેળવણીકારે મુક્તકંઠે ઉત્તર આપે છે. તેમ છતાં બેધભાષાને પ્રશ્ન ઊભો કરે છે તે બાળકની સાચી માતા એને જન્મ આપનાર કે એને ઉછેરનાર નોકરાણું––એના જેવું અસ્થાને છે. બેધાષા સહજ રીતે પહેલેથી છેલ્લે સુધી માતૃભાષા જ હોઈ શકે, એ વિશે સંદેહ સેવ એ પિતાની જાત વિશે સંદેહ સેવવા જેવું છે. આ વસ્તુ શૈક્ષણિક પ્રયોગથી દીવા જેવી સ્પષ્ટ છે. ૨. હિંદીનું સ્થાન રાષ્ટ્રીય ભાષા લેખે માધ્યમિક શાળામાંથી જ શરૂ થાય છે, તે વિશ્વવિદ્યાલયમાં ઠેઠ સુધી યથાયોગ્ય અનિવાર્ય બને એ પૂરતું છે. એટલા પાયા ઉપર હિંદી-જ્ઞાનનું પૂરું ચણતર સરલ અને શક્ય છે. ૩. વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી બધી રીતે સમર્થ અને ઉપયોગી એક ભાષા લેખે શખવાય જ. તેમ છતાં જેએ એને બાજે સહી ન શકે અને માત્ર વિષયના જ્ઞાનાથી હોય તેવાઓ ઉપર તેનું અનિવાર્ય બંધન હિંદીની પેઠે ન રહે. છેવટે હિંદી એ કઈ પણ હિંદની ભાષાથી અંગ્રેજી કરતાં અનેકગણું નજીક છે. ૪. સ્વભાષામાં શીખવનાર અધ્યાપકે પિતતાના વિષયમાં પ્રાથમિક અને છેલ્લી માહિતીવાળાં પુસ્તક સહેલાઈથી લખી શકે. આ રીતે બધી જ પ્રાદેશિક ભાષાઓમાં અનેક વિષય ઉપર અનેક પુસ્તકે ઝપાટાબંધ તૈયાર થવાનાં. હિંદીમાં પણ થવાનાં. એમાં જે જે વધારે ઉત્તમ કોટિનાં હશે તે જ મુખ્યપણે ધ્યાન ખેંચવાનાં, અને અન્ય પ્રાતીય ભાષાઓમાં કે હિંદીમાં તેના અનુવાદ પણ થવાના. એટલે અનેક પ્રાન્તીય ભાષાઓના સહજ વિકાસ અને પરિણામરૂપે લાધેલી સામગ્રી હિંદી ભાષામાં પણ આવવાની. માત્ર એકલી હિંદી ભાષા દ્વારા એવું પરિણામ તેના સુપુત્રો પણ આણું ન શકે. એટલે છેવટે તે હિંદી ભાષાના કાઠામાં આતરિક પ્રાણ પૂરવાની દૃષ્ટિએ પણ ઉપરને ક્રમ જ સહજ છે. પછી જેને જે પુસ્તક યોગ્ય લાગે તે તે ચલાવે. જ્યારે સ્વભાષાનું Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા : એક પ્રશ્નોત્તરી [979 જ સમર્થ પુસ્તક હશે ત્યારે તે સહજ રીતે પસંદગી પામશે, છતાં બીજાં પ્રાતીય ભાષાઓમાં અને અંગ્રેજી પુસ્તકની ભલામણું અધ્યાપક ર્યા વિના રહેવાના જ નહિ અને ખરા વિદ્યાર્થીઓ તે વાંચવાના પણ. 5. પ્રાદેશિક ભાષા ન જાણનાર અધ્યાપકૅ અને વિદ્યાર્થીઓ પણ હિંદી તે શીખ્યા જ હશે, કેમ કે તેનું સ્થાન અનિવાર્ય છે. એટલે જ્યાં તેઓ જશે ત્યાં હિંદી મારફત શીખવશે કે શીખશે. તેમ છતાં જે પ્રાદેશિક બોધભાષા આગંતુક વિદ્યાર્થીને તદ્દન અજાણી હશે તે ભાષા તે વિદ્યાર્થી ત્યાં જઈ શીખી લે એ જ ચાલુ શિરસ્તો છે. આજે પણું અંગ્રેજી જાણનાર ફ્રાંસ, જર્મની કે રશિયા જાય છે તે તે શું કરે છે? વળી ગુજરાતી કે મરાઠીભાષી બંગાળી દ્વારા અપાતું શિક્ષણ લેવા જાય ત્યારે કલકત્તા અને શાન્તિનિકેતનમાં શું કરે છે.? વિદેશના વિદ્યાથીઓ અહીં આવે છે તે પણ જરૂર હોય ત્યાં એ જ ક્રમ સ્વીકારે છે. 6. સ્વભાષા સાથે હિંદી ભાષા માધ્યમિક શાળામાંથી ઠેઠ સુધી અનિવાર્ય રહેવાની. પછી સરકારી નોકરીઓમાં મુશ્કેલી શી રીતે આવે એ સમજાતું જ નથી. આટલાં વર્ષો હિંદી શીખ્યા હોય તે સામાન્ય બુદ્ધિને માણસ પણ સરકારી કામકાજ પૂરતી હિંદીની તાલીમ પામે છે, કેમ કે હિંદી કોઈ બીજા ખંડની અગર સ્વભાષાથી સાવ વેગળી ભાષા છે જ નહિ. દ્રાવિડી ભાષાઓ બોલનાર પણ હિંદી સરલતાથી શીખી લે છે અને જ્યારે તે અભ્યાસકાળમાં અનિવાર્ય શિખાઈ હોય ત્યારે તે તેને માટે પણ તે તંદન વ્યવહારક્ષમ બની જાય છે. 7. ભાષાની એકતા એ વ્યવહારની એક્તા અને સરળતાનું સાધન છે. દેશની એકતા એ જુદી વસ્તુ છે. તે તે દેશ પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાથી જ સાધી શકાય. પણ ધારે કે ભાષા જ દેશની એકતાનું ખાસ સાધન છે એમ માનીએ, તે પણ રાષ્ટ્રીય ભાષા લેખે પ્રથમથી ઠેઠ સુધી હિંદી ભાષા છે જ અને સરકારી વહીવટમાં તે રહેવાની. એટલાથી એકતા સધાશે જ. જે એમ માનીએ કે બધભાષા લેખે બીજી ભાષાઓ ચાલે તેટલા પૂરતી એકતા ખંડિત થાય તે તો એમ માનવું રહ્યું કે બોધભાષા ન રાખવા છતાં આખા દેશની જનતામાં સાચી એકતા માટે પ્રાન્તીય ભાષાઓનો લોપ જ કરવો પડે; નહિ તે જેટલે અંશે પ્રાન્તીય ભાષાઓ જીવતી હશે તેટલે અંશે દેશની એકતા ખંડિત થવાની. મારી દષ્ટિએ દેશની એકતાના પ્રશ્નને બેધભાષા સાથે સંડોવે એ ભ્રમજાળ છે. –સંસ્કૃતિ, એપ્રિલ 1954.