Book Title: Tran Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249291/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સ્મરણા [૧૯] કાન્તની કૃતિઓ ઉપરથી અને બીજા મિત્રોએ તેઓશ્રીના કરાવેલ પરિચય ઉપરથી મારા ઉપર જે છાપ પડી છે તે આ સ્થળે હું નથી જાવતા. અહીં તો તે સાથે થયેલ સાક્ષાત્ સમાગમા અને તેના પરિણામે તે વખતે તથા પાછળથી થયેલ મારા ઉપરની અસરો બહુ જ ટૂંકમાં જણાવવા ઈચ્છું છું. હું કાન્તના સમાગમમાં ત્રણ વાર આવ્યો છું અને ત્રણે વાર ભાવનગરમાં. એમાંના એક પણ સમાગમ માટે મે કે કાન્તશ્રીએ પ્રયત્ન નહિ કરેલો. એ સમાગમે માત્ર કેટલાક મધ્યવતી સહ્ય વિદ્યાવિલાસીઓના પરિણામે જ ગણાય. લગભગ તેર વર્ષ પહેલાં ગ્રીષ્મ ઋતુમાં હું પહેલવહેલા ભાવનગર ગયા ત્યારે આત્માનંદ જૈન સભામાં કાન્તની મુલાકાત માટે એક નાનકડું મિત્રમઙળ એકઠું થયેલુ, બીજી વાર અસહયેાગના જમાના ઈ. સ. ૧૯૨૧-૨૨ માં સાંજે ફરવા જતાં રસ્તામાં મળવું થયું. ત્રીજી વાર ઈ. સ. ૧૯૨૨-૨૩ માં ગાંધીજીના ૧૮ મી તારીખના લદિવસ નિમિત્તે ભરાયેલી સાજનિક સભામાં અમે બન્ને મળ્યા. પહેલીવાર મળ્યા ત્યારે કાન્ત પરીક્ષક અથવા પ્રશ્નકર્તા તરીકે મારી સામે હતા. કદાચ તે વખતે મિત્રએ ઉપસ્થિત કરેલા એ સમાગમના હેતુ જ હું ન જાણું તેવી રીતે કાન્ત મારફત મારી પરીક્ષા કરવાને હોય એવી સાચી કે ખોટી છાપ મારા મન ઉપર પાછળથી પડેલી. ગમે તેમ હે, પણ તે વખતના પરીક્ષક કાન્ત સામે હું કાશીવાસી પતિની જેમ પરીક્ષ્ય સ્થાન લઈ આદરપૂર્વક બેઠેલા હતા. કાન્તે મળતાં વેંત જ મને ‘પ્રામાણ્ય ’ વિષે શાસ્ત્રીય પ્રશ્નો કર્યાં, જેનું કાંઈક વિસ્તૃત વર્ણન કાન્તમાલા નામના પુસ્તકમાં આપ્યું છે. બીજી વાર અજાણપણે રસ્તે ચાલ્યા જતા કાઈ મિત્રે ધ્યાન ખેંચવાથી કાન્તે મને ઊભા રાખ્યા અને કુશલપ્રશ્ન બાદ થોડાં વાક્યોમાં ફરી મળવાની ઈચ્છા જણાવી જુદા પડ્યા. ત્રીજી વાર એક સાર્જુનક સભામાં મને વ્યાખ્યાન આપવા ખેલાવ્યેા. એલાવવામાં કાન્તના જ હાથ હતા, કારણ Page #2 -------------------------------------------------------------------------- ________________ 134] દર્શન અને ચિંતન તેઓ તે પ્રવૃત્તિના મંત્રી હતા એમ મને પાછળથી માલૂમ પડયું. પ્રથમ સમાગમ વખતે કાન્તને પરીક્ષક રૂપે કડક છતાં સ્નેહાળ સ્વભાવ હોય એવું મને ભાન થયું. પણ કદી નહિ સાંભળેલા અને નહિ. વાંચેલા એ કાન્તના બહુશ્રુતપણે વિષે અને ઊંડા મનન વિષે મારા મનમાં આદર ઊભરાયે. મને થયું કે વ્યાપારપ્રધાન અને અંગ્રેજપ્રધાન ગુજરાતમાં પણ શાસ્ત્રની વિવિધ શાખાઓનું ઊંડું પરિશીલન કરનાર કઈ કઈ મસ્ત કયાંક કયાંક ખૂણેખાંચરે પડ્યા છે ખરા. કાન્તમાં બહુશ્રુતપણું અને ગંભીર મનન ઉપરાંત જિજ્ઞાસા તેમ જ પરીક્ષક દષ્ટિ હતાં એ મને પ્રથમ સમાગમને પરિણામે ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થયું. બીજા સમાગમને પરિણામે મને એમ ભાન થયું કે આ કેઈ મનનશીલ અલખવ્યા છે. વાત કરતાં અને બોલતાં પણ તેમનું ચિંતનશીલત્વ સામા ઉપર અસર પાડે છે એ મને વધારે સ્પષ્ટ થયું. ત્રીજી વાર મારે મુખ્ય વક્તાપે ધર્મ અને વ્યવહારના સંબંધ વિષે બેસવાનું હતું. સભાપતિ એક સુંદર સ્વભાવી વિદ્વાન મૌલવી હતા. સભાના ઉપસંહારમાં મંત્રી તરીકે કાન જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેઓને પૂરી પાંચ મિનિટ પણ નહિ એવા ટૂંકામાં ટૂંકા ભાષણ વખતે હું ખરેખર સમાધિનિમગ્ન થઈ ગયે. એક પણ વાક્ય વધારે કે ઓછું નહિ. ભાષામાં કે વિચારમાં જરા ચે અસંબદ્ધતા નહિ. કથનને એક પણ અંશ અપ્રસ્તુત કે અરૂચિકર નહિ. ઉચ્ચાર કે ધ્વનિમાં કૃત્રિમતા નહિ, જાતિ કે સંપ્રદાયને મિથ્યા મોહ નહિ. સત્ય કથનમાં સંકોચ કે ભી નહિ. આ તેઓની વિશેષતા અને તે વખતે અને પાછળનાં સ્મરણોથી ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થઈ મને એમ પણ લાગે છે કે મેં જેટલા ગુજરાતી વક્તાઓને સાંભળ્યા છે તેમાં કાન્તનું સ્થાન કાંઈક નિરાળું જ છે. આ બધા ઉપરાંત છેલ્લા બે સમાગમેએ મારા ઉપર જે વધારે ઊંડી છાપ પાડી તે તેઓની રાષ્ટ્રીયતા વિષેની. જો કે તેઓ હતા કવિ, લેખક, મનનશીલ સાહિત્ય સેવી અને પ્રકૃતિ તથા પ્રકૃતિ પરના તત્વના ગષક, છતાં તેઓમાં ગુણજ્ઞતા, સમયજ્ઞતા અને નમ્રતા વિલક્ષણ રીતે એકત્ર મળેલા હતાં. તેઓ ગાંધીજીની અહિંસાપણું અને રાષ્ટ્રદેશમાં વિચારપૂર્વક મુગ્ધ થયેલા એમ મને સ્પષ્ટ જણાયું. ખાદી તેઓને મન કિનખાબ, અતલસ, કે ઝીકથી પણ વધારે પ્રાણપ્રદ તેમ જ મહત્ત્વની વસ્તુ હતી એ એક જ વાત તેઓની સમયજ્ઞતા સમજવા માટે બસ છે. –પ્રસ્થાન. જયેષ્ઠ 1983