Book Title: Sapeksh Drushti e Uttamottam Marg
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249616/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા સાપેક્ષદષ્ટિ એ ઉત્તમત્તમ માર્ગ દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુધર્મના અનંત ભેદ અવધવાને સમ્યગજ્ઞાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુધર્મને પરિપૂર્ણ અવબોધ્યા વિના શ્રદ્ધા અને વિચારમાં ઘણી બાબતમાં સંકુચિતતા રહે એ બનવાગ્ય છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુકાંશને અવધિને પિતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા ભેગથી પિતાને આનંદભેતા માની લે, તેમાં તે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં ભૂલ કરે છે અને પિતાની ઉત્તરોત્તર વિજ્ઞાનાવસ્થામાં તે તે ભૂલેને તે દેખતે જાય છે. શ્રી વીર પ્રભુની સર્વજ્ઞદષ્ટિથી પરિપૂર્ણ પદાર્થોને દેખ્યા છે, તેવી દૃષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હોવાથી સર્વજ્ઞ ન કહેવાય અને તેથી તે વસ્તુના અનંત ધર્મના જ્ઞાનના અભાવે જાણવામાં તથા કથવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિ જયાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષદષ્ટિએ વદવું, જાણવું, વિચારવું એ ભવિષ્યની અંદગી અથે ઉત્તમત્તમ માર્ગ છે. પ્રત્યેક મનુષ્યના આચારે અને વિચારમાં પરિપૂર્ણ સત્યતા હોય એમ માની લેવું એમ તે વચન માત્રથી કથી શકાય છે. શ્રી સર્વજ્ઞ–વીતરાગદેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારોમાં અને આચારમાં સત્યતા ન હોઈ શકે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાએ અમુકાશે સત્યતા હોઈ શકે એ બનવાગ્યા છે. શ્રી વીતરાગનાં વચનોની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભેદે સત્ય અને અસત્ય એવા આચારે અને વિચારે મનાય છે, તેમાંથી Page #2 -------------------------------------------------------------------------- ________________ - -- પારમાર્થિક લેખસંગ્રહ [ & ઘણું સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્યક્ષેત્ર-કાલ–ભાવથી સત્ય હોય છે અને તે જ બાબત અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ય હોય છે. વ્યવહાર નથી અમુક બાબત અમુકરૂપ ગણાય છે અને તે જ બાબત નિશ્ચયદષ્ટિથી વિચારીએ તે અમુકરૂપે લાગે છે. દરેક વસ્તુને અનેક દ્રષ્ટિથી અનેક અપેક્ષાઓએ તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારોને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જાણવા જોઈએ અને ભિન્ન ભિન્ન દષ્ટિથી દેખીને હેય, રેય અને ઉપાદેય બુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદ્રષ્ટિથી જે દેખે છે તે કઈ બાબત પર અમુકાશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા વૃદ્ધિગંત થતાં પૂર્વના વિચાર કરતાં ઉત્તરના વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલે નિર્ણય થાય છે, તેટલે તે કાળે નિર્ણય માટે સત્યરૂપે તે કાળની અપેક્ષાએ હોય છે, એમ અપેક્ષાથી વિચારીએ તે આખા જગમાં મનુષ્યના આચાર અને વિચારોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે છે અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય છે.