Book Title: Samayasundarji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249103/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણસંઘના પ્રબુદ્ધ ધર્મગુરુઓ પરમ તપસ્વી : સમર્થ સાહિત્યકાર કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર જૈન કવિઓમાં કવિવર શ્રી સમયસુંદરજીનું નામ અને સ્થાન અને ખુ` છે. ઇસ્વીસનના સેળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનાં સર્જનાના ફાળે આપ્યું છે. તેઓશ્રીએ એક પ્રતિભાસ પત્ન કવિ અને તપસ્વી સાધુ તરીકે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. આલ્યકાળ પૂ. સમયસુંદરજીના જીવન વિશે તેમણે પોતે રચેલા ગ્રંથાને આધારે અને તેમના શિષ્યાએ રચેલાં કાવ્યેામાં કરેલાં તેઓશ્રી વિશેના નિર્દેશાને આધારે, તેમના કવનકાળ વિશે અને કાળધર્મ વિશે ચાક્કસ તિથિ-વાર—વના ઉલ્લેખે મળી આવે છે; પરંતુ તેમનાં અને દીક્ષાગ્રહણતિથિનાં નિશ્ચિત પ્રમાણેા સાંપડતાં નથી. કાવ્યકૃતિઓમાંના નિર્દેશે પ્રમાણે તેઓશ્રીને જન્મ મારવાડમાં સાચારની પ્રાગ્ગાટ ( પેરવાડ) વણિક જ્ઞાતિમાં થયે હતેા. તેમના પિતાનુ... નામ રૂપસિંહ અને માતાનુ' નામ લીલાદેવી હતુ. પૂજ્યશ્રીને પ્રથમ ગ્રંથ ‘માવત ’ સંસ્કૃત ભાષામાં રચેલે મળી આવે છે, તેની રચનાસાલ સ. ૧૬૪૧ છે. તેમાં કિવ પેાતાને ઉલ્લેખ ગણ સમયસુંદર ' તરીકે કરે છે, એ આધારે કલ્પના કરી શકાય કે, દીક્ષા ગ્રહુણ કર્યાં પછી સતત આહ-દસ વર્ષીની આરાધના અને અવિરત અધ્યયનની સાધનાને અંતે ગણિપદના અધિકારી બની શકયા. તે પ્રમાણે તેએશ્રી સં. ૧૯૩૦ આસપાસ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, શ્રી સકલચંદ્રજી ગણિના શિષ્ય તરીકે મુનિ સમયસુ ંદરજી મહારાજ તરીકે જાહેર થયા. વળી, શ્રી સમયસુંદરજીના જ એક શિષ્ય વાદી નંદને એક કાવ્ય રચનામાં નિર્દેશ કર્યો છે તે મુજબ · નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો ઃ નવયૌવન માં દ્વીક્ષાં લીધી. એટલે તેમની વય દીક્ષા સમયે 6 * જી, સઈ હાથે શ્રી જિનચંદ’ : 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શાસનપ્રભાવક ૨૦ વર્ષ આસપાસ હોવી જોઈએ. તે પ્રમાણે પૂજ્યશ્રીને જન્મ સં. ૧૬૧૦ આસપાસ અનુમાની શકાય. તેમણે પિતે કે તેમના કેઈ શિગ્યે તેઓશ્રીના સંસારી નામને કયાંય ઉલ્લેખ કર્યો નથી કે દીક્ષા પૂર્વેના અભ્યાસને પણ ઉલ્લેખ પ્રાપ્ત થતું નથી. પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે વાચક મહિમરાજ (પછીથી પ્રધાનાચાર્ય શ્રી જિનસિંહસૂરિજી) અને ઉપાધ્યાય શ્રી સમયરાજજી મહારાજ પાસે વિદ્યાપાસનામાં ઘણો સમય વીતાવ્યો. ધર્મશાસ્ત્રો, ટીકાઓ અને કાબેને ગહન અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ તે ઈશ્વરદત્ત-જન્મજાત હતી જ. એમાં બે ગુરુદેવશ્રીની નિશ્રામાં અગાધ અભ્યાસને પરિણામે તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ગુજરાતી, મારવાડી, હિન્દી, સિધી અને પંજાબી ભાષાઓ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કરી શક્યા. પરિણામે, અસાધારણ પ્રતિભા, તીફણબુદ્ધિ, અગાધ અભ્યાસ અને તપસ્વી સાધુજીવનથી પ્રભાવિત થઈને પ. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને સં. ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ગણિ” પદથી વિભૂષિત કર્યા હતા. ત્યાર પછી સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૬૪૮માં લાહેર ગયા ત્યારે તેમની સાથેના ૩૧ સાધુઓમાં સમયસુંદરજી પણ હતા. આ પ્રસંગે કવિ સમયસુંદરજીએ વાત તે સૌથક્ –આઠ અક્ષરના આ વાકયના આઠ લાખ અર્થ કરી બતાવી, આ “અષ્ટલક્ષી’ કૃતિ વડે અકબર બાદશાહને અત્યંત પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, સં. ૧૬૪૯ના ફાગણ સુદ બીજને દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને વાચનાચાર્ય”ની પદવી આપી હતી. તે સમય પછી રચાયેલી કૃતિઓમાં કવિ સમયસુંદરે પિતાનો ઉલ્લેખ “વાચક' તરીકે કર્યો છે. વાચનાચાર્ય ની પદવી પછી ૨૦-૨૧ વર્ષે તેમને “પાઠક” કે “ઉપાધ્યાયની પદવી મળી હવાને ઉલ્લેખ કવિ રાજામ કરે છે. સં. ૧૯૭૧માં લવેરા મુકામે આચાર્ય શ્રી જિનસિંહસૂરિએ તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યાના અનેક નિદેશા સાંપડે છે. સં. ૧૬૮૦ પછી, આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા પછી; ખરતરગચ૭માં વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીર્ઘ દીક્ષાપર્યાયવાળા મુનિવર તેઓશ્રી જ હતા, તેથી તેમને “મહોપાધ્યાય'નું પદ આપવામાં આવ્યું હશે એમ સ્વાભાવિક કલ્પના થાય છે. આ સમય દરમિયાન કવિશ્રી સમયસુંદરજીએ ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીત, સ્તવને, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્ય રચવાં શરૂ કરી દીધાં હતાં. તેમણે સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિહાર કરી, ચાતુર્માસ સ્થિરતા કરી, તેમાં ધર્મને પ્રસાર કર્યો હતો. જે જે તીર્થસ્થાનની યાત્રા કરી તેના પર સ્તવને રચીને કાવ્યસાહિત્યની સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. તેઓશ્રીનાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચને, મધુર વાણી અને તપસ્વી જીવનને પ્રભાવ જૈન અને જૈનેતર લેકે પર એકસરખે પડતું હતું. પરિણામે, પૂજ્યશ્રીએ અનેક સ્થળોએ જીવહિંસા અટકાવી હતી. સિંધના એક અધિકારી મખન્મ મુહમ્મદ શેખ કાજીએ તેઓશ્રીની પવિત્ર વાણીથી મુગ્ધ થઈને સમગ્ર સિંધ પ્રાતમાં ગવધ અને પંચનદીમાં જળચરની હિંસા ન કરવાની ઘોષણા કરી હતી. એવી જ રીતે, રાવલ ભીમજીને સદુપદેશ આપી જેસલમેરમાં થતાં 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો સાંઢના વધને બંધ કરાવ્યું હતું. મંડોવર, મેડતા આદિમાં પણ અમારિની ઘોષણા કરાવ્યાના ઉલલેખ મળે છે. તેઓશ્રી 42 શિળે અને અનેક પ્રશિષ્ય ધરાવતા હતા. સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં સાધુ અને સાહિત્યકાર તરીકે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પિતાના ગચ્છના જ નહિ, પરંતુ સમગ્ર જૈનસંઘના સર્વશ્રેષ્ઠ સાધુ તરીકે પંકાયા હતા. વૃદ્ધાવસ્થાને લીધે છેલ્લે અમદાવાદમાં સ્થિતા કરી હતી. અને સં. ૧૭૦૩ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા હતા. આમ, તેમણે નેવું વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય ભેગવી જૈનશાસનની ભવ્ય પ્રભાવના કરી હતી. શ્રી સમયસુંદરજી મહારાજની સાહિત્યસેવા ચિરંજીવ નીવડે તેવી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આદિ ભાષાઓમાં રચના કરી છે. વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, છંદ, ન્યાય, જ્યોતિષ, ઇતિહાસ, પ્રબંધ, રસ, પાઈ સંવાદ, બાલાવબોધ, વીસી, છત્રીસી, સ્તવન, સઝાય, ગત વગેરે રચના કરી છે. તેમાં સંસ્કૃતમાં વીસેક અને ગુજરાતીમાં ત્રીસેક મટી કૃતિઓ રચી છે, જેમાં ભાવશતક, રૂપકમાલા અવસૂરિ, કાલિકાચાર્યકથા, સમાચારી કથા, વિશેષશતક, દશવૈકાલિક ટીકા આદિ સંસ્કૃત ગ્રંથ છે; તે ચાર પ્રત્યેક બુદ્ધ રાસ, મૃગાવતી રાસ, પુસાર રાસ, વતુપાલ-તેજપાલ રાસ, શત્રુંજય રાસ, બાર વ્રત રાસ આદિ ગુજરાતી રચનાઓ છે. આમાં 100-125 પંક્તિથી માંડીને 3700 પંક્તિમાં રચાયેલા રાસ છે. ભાષાની મધુરતા, વર્ણનની તાદશતા અને આલેખનની સચોટતાને લીધે તેમનું સાહિત્ય ઉચ્ચ કોટિનું બન્યું છે. પૂજ્યશ્રીએ રચેલાં ગીતની સંખ્યા પણ હજાર ઉપર થવા જાય છે. એ સર્વ લયમાધુર્ય અને શબ્દસૌંદર્યથી લોકોમાં એવાં તે પ્રચલિત બન્યાં કે કુંભ રાણાનાં સ્થાપત્ય સાથે તેમની લેકેતિ પ્રચલિત બની : “સમયસુંદરનાં ગીતો, ભીતા પરનાં ચીતડાં કે કુંભ ચણાનાં ભીંતડો.” આ ઉપરાંત, સમયસુંદરે હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષામાં પણ કાવ્યરચના કરી છે. તેમનાં કાવ્ય એટલાં કવિત્વપૂર્ણ અને લોકપ્રિય હતાં કે અનેક અનુગામીઓએ એનું અનુકરણ કર્યું. એક અષ્ટાક્ષરીય વાક્યના દસ લાખ બાવીશ હજાર ચારસો સત્યાવીશ અર્થ કરી બતાવીને “અષ્ટલક્ષી” ગ્રંથથી પિતાની વિદ્વત્તાને પરિચય કરાવ્યું. એવી અસાધારણ પ્રતિભા ધરાવતા શ્રી સમયસુંદરજી તેજસ્વી સાધુપ્રવર હતા. (“નલ–દવદંતી રાસ માંથી સાભાર.) ખરતરગચ્છીય ગગનમણિ અને સમર્થ વિદ્વદવર્ય શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ જ્ઞાન, ક્રિયા અને ધર્મસિદ્ધાંતને પુનરુદ્ધાર કરનાર મહાત્માઓ આ ભૂમિનાં ભૂષણરૂપ મનાય છે. એવા જ એક ઉત્તમ કોટિના સંત-મહાત્મા ખરતરગચ્છીય ગગનમણિ, પંડિત પ્રવર, કવિરત્ન, મહાન તપસ્વી અને સમર્થ સાહિત્યકાર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે. તેમને જન્મ મારવાડમાં બીકાનેર પાસે રંગ ગામમાં, ઓસવાલ જ્ઞાતિના લુણિયા ગોત્રમાં થયે હતો. 2010_04