Book Title: Pradyumna Vijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249148/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ધીર-ગંભીર અને મેધાવી ચિંતક તથા પ્રભાવી પ્રવચનકાર પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાતાના વડીલ બંધુ વ્યાકરણાચાય પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. તેએશ્રીનું મૂળ વતન જ ભૂસર પાસેનું અણુખી ગામ. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી પ્રભાવતીબેન પાસેથી ધર્મસ’સ્કારનું સિંચન થયું. પૂર્વના પ્રબળ સ`સ્કારે ચૌદ વર્ષની ઊછરતી વયે તીવ્ર વૈરાગ્યપૂર્વક સ. ૨૦૧૭માં સુરત શહેરમાં પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે મહામહે«ત્રપૂક સંયમ ગ્રહણ કર્યું. તાંત્ર ક્ષયાપશમથી ન્યાય, વ્યાકરણ અને સાહિત્યના મૌલિક અભ્યાસ કર્યાં, આગમગ્રંથો તથા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિએનું ઊ'ડુ' અધ્યયન કર્યું, પ્રભાવશાળી વકતૃત્વ અને ચિંતનપૂર્ણ અસરકારક લેખનકળાથી શ્રેતાઓ અને વાચકાનાં હૃદયમાં સ્થાન મેળવી ચૂકયા છે. પૂજ્યશ્રી સાહિત્યરસિક છે; સાહિત્યના પ્રાચીન અર્વાચીન પ્રવાહોથી પરિચિત છે; સામયિકામાં અભ્યાસલેખેાના પ્રકાશન દ્વારા સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. તેએશ્રી કાવ્યરચનાએ પણ કરે છે અને મૌલિક, રસાળ શૈલીમાં, લોકભાગ્ય અભિવ્યક્તિ છટાથી ગ્રંથામાં ચિંતન પણ પીરસે છે. પૂ. વ્યાકરણાચાય શ્રીના શિષ્ય હોવાને નાતે તેઓશ્રી વિવિધ ભાષાના મજ્ઞ છે અને ગુજરાતી ભાષાના લેખન પર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. પૂજયશ્રીના આશિષ્ય મુનિશ્રી રાહુ સવિજયજી મહારાજ પણ તેએશ્રીની વત્સલ નિશ્રામાં સુંદર અભ્યાસ સાધી રહ્યા છે. ૪૯ પૂજ્યશ્રીનાં માતા, પિતા, ભાઈ અને બહેન સંયમ સ્વીકારીને અનુક્રમે પૂ. મુનિશ્રી હીરવિજયજી મહારાજ, પૂ. સાધ્વીજી પદ્મલતાશ્રીજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ નામે સ્વપર ઉપકાર સાધી રહ્યાં છે. સાહિત્ય, પ્રાચીન ઇતિહાસ અને પટ્ટાવલી પૂજ્યશ્રીના રસના આગવા વિષયે છે. વિશાળ વાંચત-મનનને પરિણામે તેએશ્રીનાં પ્રવચનેામાં અને વાતચીતમાં પણ ચિ'તનના ચમકારા અનુભવવા મળે છે. તેથી પૂજ્યશ્રી વિદ્વજગતમાં પણ એટલા જ પ્રિય છે અને સામાન્ય જનસમુદાયમાં પણ એટલા જ પ્રભાવક છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસ્કૃત-ગુજરાતી ગ્રંથા તેઓશ્રીને અતીવ પ્રિય છે. એ સર્વાંનું ઊંડું અવગાહન કર્યું છે. પૂ. ઉપાધ્યાયજીના દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા આદિ ગ્રંથા પર તથા તેમના જીવન-કવન પર તેએશ્રીએ અનેક સશેાધનેાના આધારે પૂ. ઉપાધ્યાયશ્રી યશે વિજયજી મહારાજની જન્મભૂમિ મહેસાણા પાસે કનેડા ગામ હવાનુ' પ્રતિપાદિત કરી, એ સ્થાનને ‘યશે।ભૂમિ ’ ના નામથી ગૌરવાન્વિત કર્યુ છે. આ પ્રસંગનુ આયેાજન જૈન સમાજના અગ્રણીએ, તે વિસ્તારના સમસ્ત ગામલોકો અને સેકડા ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે થયું. પૂ. પન્યાસશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં અનેક કા ચિરસ્થાયીરૂપે અવિસ્મરણીયપણે નિર્માણ થતાં રહ્યાં છે. શ્ર્વ રે 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ 650 શાસનપ્રભાવક પૂજ્ય પંન્યાસજીમાં ગુણાનુરાગીતાને વિશિષ્ટ ગુણ છે. સ્વ કે પર સમુદાયના નાનાથી લઈને મોટા સુધીના કેઈપણ સાધુમાં નાનામાં ના ગુણ જોઈને પ્રસન્ન થાય છે અને અન્યને એ ગુણ જણાવી આનંદ પામે છે. ભર્તૃહરિએ કહ્યું છે તેમ મુળઃ ચાકુળાન સ્થાપત્તા એ પૂજ્યશ્રીના ચરિત્રને બરાબર લાગુ પડે છે. આ વિનય-વિકશીલ વ્યક્તિત્વને લીધે તેઓશ્રી હમેશાં પ્રસન્નચિત્ત લાગે છે, મિલનસાર લાગે છે, આત્મીય લાગે છે. એવા વિરલ ગુણથી વિભૂષિત પૂજ્ય શ્રી સ્વ કે પર સમુદાયના સાધુ સાથે આત્મીયતાથી વતે છે, એ સહજ આત્મીયતા જોઈને કોઈને પણ એમ ન થાય કે તેઓશ્રી ભિન્ન સમુદાયના સાધુ સાથે વાત કરે છે ! એવી જ સહજ આત્મીયતા, કહે કે, આત્મસમર્પણ જેનશાસન પ્રત્યે ધરાવે છે. એ તે જ્યારે વ્યાખ્યાનને પ્રારંભે પૂજ્યશ્રી બોલે છે કે, આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તેઓએ સ્થાપેલું એકાંત હિતકર શ્રી જિનશાસન...” ત્યારે સાંભળનારને પ્રતીતિ થાય છે કે પૂજ્યશ્રીમાં શાસનનો કે અવિહડ રાગ છે. પૂજ્યશ્રી ધર્મમાર્ગપ્રેરક વ્યાખ્યાન શૈલીથી જાર લોકચાહના મેળવી શક્યા છે. તર્કબદ્ધ રીતે, ઉદાહરણ સહિત, સુગ્ય શબ્દ પસંદગી સાથે વક્તવ્યને રજૂ કરવામાં પૂજ્યશ્રી પારંગત છે એમ સહેજે અતિશક્તિ વિના કહી શકાય. છેલ્લાં વર્ષોમાં તેઓશ્રી પ્રાચીન હસ્તલિખિત પ્રતોને આધારે પ્રાચીન ગ્રંથના સંશોધન-સંપાદનમાં ઊડે રસ ધરાવે છે. પરિણામે ઘણા ગ્રંથો સંશોધિત કરી પ્રકાશિત કરાવ્યા છે. અન્યને પણ આ માગે પ્રેરણા આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હરતે આવાં અવિસ્મરણીય મહાન શાસન-પ્રભાવક કાર્યો થતાં રહે એ જ અભ્યર્થના સાથે, શાસનના આ તેજસ્વી રત્નને કોટિ કોટિ વંદના ! સમર્થ વ્યાખ્યાનકાર અને શાસનપ્રભાવક પૂ. પંન્યાસ શ્રી અશોકસાગરજી મહારાજ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા સુવિડિતશિરોમણિ, પરમ યોગી, આગમ વિશારદ પૂ. પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી મહારાજના વિનય શિષ્ય પૂ. શ્રી અશેકસાગરજી મહારાજ છે; જેમના માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે હાલ જબુદ્ધીપનું વિરાટ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી. પિતાનું નામ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. તેઓશ્રીનું સંસારી નામ અરુણભાઈ માતાપિતા અને કુટુંબના ધાર્મિક સંસ્કારે વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જૈન પાઠશાળામાં સારો એ ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી, તેમાં અરુણભાઈને પણ વૈરાગ્યને રંગ લાગે એમાં શી નવાઈ ! એમાં પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. 2010_04