Book Title: Jain Vidyalaya
Author(s): Jayant M Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન વિદ્યાલય લેખક શ્રી જયંતભાઈ એમ. શાહ વિદ્યાલય શબ્દને વિચાર કરતાંની સાથે મનમાં એક સરસ્વતીની ઉપાસના કરવા માટેના આદર્શ સ્થાનને વિદ્યા મેળવવા માટેના મનહર મંદિરને–ખ્યાલ આવી જાય છે. આવું સુંદર સ્થાન પણ જીવનમાં કેટલાંક વર્ષો માટે, કોઈકને જ, લાયકાત અને સંગે વચ્ચે પુણ્યને મળે છે. આવા સ્થાનમાં રહેલ વિદ્યાર્થી પોતાનું ઘડતર કઈ રીતે કરે તો પિતાના જીવનને સુંદર બનાવવાની સાથે બીજાને દાખલારૂપ બની શકે? - વિદ્યાર્થી જીવન વિદ્યાના અર્થે જ પસાર કરવાનું હોય છે. આ વિદ્યા જ પછીનાં વર્ષોમાં ધંધાકીય રીતે તેમ જ આદર્શ જીવન ગાળવામાં ઉપયોગી થાય છે. જે ખરે વખતે વિદ્યા ઉપાર્જન કરી ન હોય તો કોઈકના જીવનમાં સાંભળીએ છીએ કે ન ભ તેથી આવે ને આ રહી ગયો! તેથી જ વિદ્યાના અર્થે મળેલું વિદ્યાથીજીવન વિદ્યાથી નકામી બાબતમાં વેડફી ન નાખે તે ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થીઓના ઉત્કર્ષની આવી જ કેઈ સુંદર ભાવના અને લાગણીને કારણે આવાં વિદ્યાલય સ્થપાય છે, અને સમાજ એને ઉદારતાપૂર્વક નિભાવે છે. એટલે આવી સંસ્થાઓને લાભ લેનાર વિદ્યાથીઓનું હિત સધાય અને આર્થિક સહકાર આપનારાઓને સંતોષ થાય એ રીતે સંસ્થાને ચલાવવી એ સંસ્થાના કાર્યવાહકેની ફરજ બની જાય છે. - જ્યારે જૈન વિદ્યાલયે કહેવામાં આવે છે ત્યારે જૈન વિદ્યાથી તેમાં માત્ર દાખલ થાય તેટલું જ બસ નથી; વળી, તેમાં અમુક અંશે ધર્મક્રિયાઓ થાય એ પણ પૂરતું નથી. ખરી વાત જીવનમાં ધાર્મિક ભાવના અને સંસ્કારિતા પ્રગટે અને દરેક વિદ્યાર્થી પોતાના જીવનને પવિત્ર, આદર્શ અને સુસંસ્કારી બનાવે એ ખૂબ જ અગત્યનું છે. ધર્મ અને ધર્મની ભાવના જ માનવીને દુઃખના સમયમાં સહારે આપે છે, અને સુખ-સાહ્યબીના સમયમાં છકી જત બચાવે છે. આવું વિદ્યાલય અને તેનું મૌલિક બંધારણ નીચેના પાયાથી જ ઘડાતું હોય છે – Page #2 -------------------------------------------------------------------------- ________________ 240 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ (1) ધર્મ–ત્યાં અભ્યાસ કરતા વિદ્યાથી ધર્મને અને ધર્મની સમજણને મેળવી પિતાના જીવનના ચણતરને ઊંચે લાવવા પ્રયાસ કરતો હોય છે. જ્ઞાન હોય અને તે તેના જીવનમાં ઉપયોગી થવાનું હોય–તેને પણ નિષ્ઠા અને સમજણપૂર્વક ઉપયોગ કરી માનવજીવનને સફળ બનાવવું અને જીવનનાં મૂલ્ય સમજવાં તે પણ તેને હેતુ હેવો જોઈએ. (3) સમયને સદુપયોગ-વિદ્યાર્થી જીવન, ભલે તે કોઈને જવાબદારીભર્યું ન લાગતું હાય પણ ખરી રીતે તે ખૂબ જ જવાબદારી ભર્યું છે. સમજણ અને સાવધાનીપૂર્વક કામમાં અને અભ્યાસમાં લગાવેલે પળેપળને સમય કેટલો બધે ઉપયોગી થઈ પડે છે, તે તે આપણે આપણી સામે જ જોઈ શકીએ છીએ. આદર્શો અને સંસ્કારિતા માટે બહાર શોધ કરવાની જરૂર નથી. પ્રેરણા માટે અન્યના જીવનનો દાખલો લેવો પડે તે ઠીક છે; બાકી ખરી વાત તો પિતાનું જીવન ઉદાહરણરૂપ બને એ છે. આ વાતને વિચાર આવતાંની સાથે વિદ્યાથી સમયને દરગ કરતા અટકશે એ સ્વભાવિક છે. મતલબ કે સમયના સદુપયેગને ખ્યાલ વિદ્યાથીને સતત રહે જોઈએ. (4) શિસ્ત વિદ્યાર્થી જીવનની શિસ્ત-મર્યાદાઓનું પાલન એ પણ એટલું જ અગત્યનું છે. એમનું જીવન સચ્ચરિત્રશીલ બનવાની સાથે એમને માનસિક અને શારીરિક રીતે પણ વિકાસ થાય એ વાતનો ખ્યાલ રાખે પણ જરૂરી છે. (5) સ્વાશ્રય–સ્વાશ્રય અને શ્રમ તરફની અભિરુચિ જીવનઘડતરમાં બહુ ઉપયોગી થઈ પડે છે. આપણા દેશની પ્રાચીન પ્રણાલિકા તે એવી હતી કે તે વખતે આશ્રમે હતા, જ્યાં ઋષિમુનિઓ વિદ્યાથીના ઘડતરમાં ખૂબ જ રસ લેતા અને વિદ્યાર્થીઓને સ્વાશ્રય અને શ્રમને પાઠ ભણાવતા. અત્યારે પણ યોગ્ય ફેરફારો સાથે આની એટલી જ જરૂર છે. આવા આદર્શ વિદ્યાર્થીઓ અને આવા આદર્શ વિદ્યાલયેની ખોટ અત્યારે વધારે વરતાય છે. આવાં વિદ્યાલયે સાથે ભાવના અને ઉચ્ચ આદર્શો સંકળાયેલ હોય અને તેના નામ સાથે તેના ગુણો પણ પ્રકાશે તે એવી સંસ્થા સમાજનું ગૌરવ બની શકે અને સમાજને સહકાર મેળવી શકે. - શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક આદર્શ વિદ્યાલય છે. અને ભવિષ્યમાં એ વધારે ઉચ્ચ આદર્શોવાળું બનીને આપણી નવી પેઢીને વધારે સંસ્કારી અને વધારે શક્તિશાળી બનાવે, અને જૈન સમાજની વધુ ને વધુ સેવા બજાવે એ જ અભ્યર્થના