Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર ચેન્ન પરિવાડી
સં, મધુસૂદન ઢાંકી-વિધાત્રી વોરા ઉજજયન્તગિરિનાં મંદિરે અનુલક્ષે રચાયેલી ચૈત્યપરિપાટીએમાં માહિતીની દષ્ટિએ આ એક બહુ જ કિમતી ચૈત્યપરિપાટી છે. અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલ, બૃહતપગચ્છીય “રતનસિંહસરિશિષ્યની, અને “સોમસુંદરસૂરિના પરિવારના “રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસની “ગિરનાર તીર્થ માળા”માં અપાયેલી વાતનું આમાં સમર્થન હેવા અતિરિક્ત કેટલુંક વિશેષ સ્પષ્ટીકરણ પણ છે, અને અન્ય કોઈ પરિપાટીકારે નહીં જણાવેલ એવી નવીન હકીકત પણ છે. કર્તા પોતાનું નામ પ્રગટ કરતા નથી; પણ કોઈ “સંધવી શવરાજ”ના સંધમાં આવેલ મુનિની આ રચના હોઈ શકે તે તક છેવટની એટલે કે ૪૧મી ગાથા પરથી થઈ શકે છે.
સંપ્રતિ રચના લા.દ.ભા.સં.વિ.પં.ના મુનિપુણ્યવિજયજી સંગ્રહની પ્રતિ ક્રમાંક ૨૯૭૦ ઉપરથી ઉતારી છે. મૂળ પ્રતિમાં જે કે રચના સંવત કે લિપી સંવત દર્શાવ્યો નથી; પણ ભાષા અને વસ્તુની દષ્ટિએ સાંપ્રત કૃતિ પંદરમા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જ્યારે પ્રતિની લિપી સત્તરમાં શતકના ઉત્તરાર્ધથી પુરાણી લાગતી નથી.
પ્રારંભમાં યાત્રી-કવિ દેવી “અંબિકા” અને “સરસ્વતીને સ્મરી, નેમિજિન”ને વંદના દઈ, ઊજલિગિરિ' (ઉજજયન્તગિરિ)ના જિણવરને સાનંદ સ્તવવાનો નિર્ધાર જાહેર કરે છે: (૧). આ પછી “ગિરનારની તળેટીમાં આવેલ વિશાળ એવા “જુનગઢ' (જૂનાગઢઃજીણુદુર્ગ ઉપરકેટ)ને ઉલ્લેખ કરી, ત્યાંના “સલષપ્રાસાદ' (શ્રેષ્ઠી “સલક્ષ' કારિત જિનાલય)માં જહાર કરી, ઉસવંસ (ઓસવાલ વંશ)માં જન્મેલ “સમરસિંહે ઉદ્ધારાવેલ, તિજલપુરિ (તેજપાલ સ્થાપિત તેજલપુર” શહેર) પાશ્વને નમસ્કારી, “સંધવી ધુંધલ'ના પ્રાસાદમાં “આદિ જિનવર'ને જહારવાનું કહે છે: (૨-૩). તે પછી ધરણિગ વસહી” (“જીર્ણ દુર્ગમાં હતી)ને મહાવીરસ્વામીને વંદવાનું કહે છે. અને પ્રસ્તુત વસહીમાં ડાબી બાજુને “ભદ્રપ્રાસાદ' શ્રેષ્ઠી “પૂનિગે' કરાવ્યાની નોંધ કરે છે. (૪) આ પછી “લખરાજે' ઉત્સાહથી કરાવેલ “ખમાણાવસહી'માં પિત્તળના જિનનાથ “રિસફેસર (ઋષભેશ્વર)ને પૂછએ તેમ જણાવે છે. (૫). - હવે ગિરિવર (ગિરનાર) તરફ સંચરવાની વાત કરે છે. ત્યાં (“વસ્ત્રાપથક્ષેત્રમાં રહેલ) દામોદર', “સોવનરેખ” (નરેખ) નદી, અને “કાલમેઘ ક્ષેત્રપાલને ઉલ્લેખ કરે છે (૬). એ પછી આવતી નિસગ. શોભાનું વર્ણન ગાથા ૭માં કહે છે. આ પછી (મંત્રીશ્વર) ઉદયન પુત્ર બાહડે (મંત્રી વાભ) વિસલપુરી ત્રેસઠ લાખ ખરચીને “પાજ' કરાવ્યાનું કહે છે. (). પાજે ચડતાં પહેલી ઊસવા સોની પદમની પરવ' (પરબ), બીજી આવે પરવાડ’વાળાની, તે પછી હાથી વાંકીમાં “રાયણ વૃક્ષ નીચે વિશ્રામી, ત્રીજી ધુલિ પરવ' તે “લોડ નાયકની, તે પછી “માંકડકુડી કને “માલીપરબ' જવાનું. (૯-૧૧). તે પછી સાપણની વાંકીચૂંકી વાટડીએ આગળ વધતાં “સિલખડકી અને તે પછી બીજી ખડકી આવેઃ (૧૨). ને ત્યાર બાદ પાંચમી “સુવાવડીની પરબ. ને ત્યાંથી જમણે હાથ તરફ સહસવિંદ ગુફા” હેવાનું કવિ-યાત્રી નેધે છે. (૧૩). તે પછી આગળ ચાલતાં ડાબી જમણી બાજ તારણો” અને “આંચલીયા પ્રાસાદ' (અંચલગચ્છીય જિનાલય) નજરે પડવા માંડે છે. આ પછી પહેલી ળિ' અને બીજી પળને ઉલ્લેખ કરે છે. (૧૪-૧૫).
આ પછી યાત્રાકાર તીર્થ નાયક ભગવાન નેમિનાથને દેહરે પહોંચે છે. અને ત્યાં છત્ર સાથે
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ગિરનાર ચત્ત પરિવાડી ચામર ઢાળતાં પંચ શબ્દ વાદિત્ર વગાડતાં સંઘવી પ્રવેશે છે અને ભંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢોલ-દરના હડહડાટ, ને ત્યાં વાગતા નિરાણ” અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમંગળને કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે: (૧૬).
સૌ પહેલાં “મેલાસાહ”ની દેરીમાં જિનધર્મનાથને નમી, (પશ્ચિમ બાજુના) મૂળદ્વારની સામા રહેલ “સવાલાખી ચુકીધાર' – જેમાં “વસ્તિગે” (“વસ્તુપાળ') સ્થાપેલ –“નેમીસરના બિંબને વાંધી પાશ્વનાથની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે): (૧૭). “નેમિનાથને નિહાળ્યા બાદ તેરણ' વધાવી, દાન દઈ, “પાઉમંડપ (પાદુકા મંડ૫) આવી, (ત્યાંથી) નેમિનાથને શિરસહ નમી, ત્રણ બાર ધરાવતા (“ગૂઢમંડપવાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીને) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (ફરીને) “જિન'ને ભેટવાની વાત કરે છે: (૧૮). તે પછી અધુકળે પગે (નેમિનાથ') દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી “ગજપદકુંડમાં સ્નાન કરી દેઈ કરી (ફરીને નેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણ-મહત્સવ કરી, કેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે: (૧૯).
તે પછી “અગર'ની પૂજા રચી “રતન” (“રત્ન શ્રાવક') દ્વારા સ્થાપિત “નેમીસર'ની સેવા કરી, “ભમતી”માં “ચત્ય પરિપાટી” કરી, “રંગમંડપ” (ગૂઢમંડ૫)માં રહેલ જિણવરને પૂછ, ધરમશાળાના મંદિરમાં વંદના દઈ, પછી “અપાપામઢ' જઈએ તેમ યાત્રીકવિ ઉમેરે છે: (૨૦).
(આ “અપાપામઢ'માં) ગઈ ચોવિસી, (બીજા) સાત તીર્થકરને પૂછ પાપક્ષય કરી, આઠમું (નેમિનાથનું) બિબ બપ્પભટ્ટસૂરિએ ત્રંબાવતી (ખંભાત)માં (મન્ટ બળે આકષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વંદાવેલ (તે અહીં ગિરનાર પર લાવેલ બિંબને નમી), (૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂછ, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭૨ દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણ દેવળની રચનાવાળા લાખો રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી-જમણી બાજુએ રહેલ ગજરૂઢ વસ્તુપાલતેજપાલ તથા (વસ્તુપાલ પિતામડ) સેમ (મન્વી) અને પિતા (મંત્રી) આસરાજ છે. મનમોહક પુતળીઓ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેતશિખરમાં ૨૦ જિન જઈશું (૨૪). તે પછી ગેવિન્દ શ્રેષ્ઠિએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂછ કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સંચરતાં (ખંભાતના) શ્રેઝી શાણ અને ભૂભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને સ્તવી તેને રળિયામણે મુખમંડપ જોઈશું (૨૫). (આ મંદિરમાં) પિત્તળમય સરસ બિંબ છે અને મંદિર કંચન – બલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિંહે ઉદારાવેલ કલ્યાણયના મંદિરમાં ત્રણ સ્વરૂપે વિરાજમાન નેમિકુમાર છે ને સ્તંયુક્ત મેઘનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની બાવન દેહરીએ જઈ હરડે હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફને) સુંદર ભદ્ર પ્રસાદ માલદેવે કરાવેલ ને રત્નદેવે પિત્તળનું મોટું બિંબ કરાવેલું. પશ્ચિમને નામી ભદ્ર-પ્રાસાદ હાજા શ્રેષ્ઠીએ કરાવેલ અને ઉત્તર બાજુને (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વાસ (રાજે) કરાવેલ.
હવે ખરતર વસહી તરફ આવીએ. આ લવસહી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તારણયુક્ત પિત્તળનું બિંબ છે. ને આજુબાજુ શાંતિજિન તેમ જ પાશ્વનાથના પિતળના વખાણવાલાયક કાઉસગ્ગીયા છે (૨૮): અહીં રંગમંડપ(ની છતોમાં) નાગબંધ અને પંચાંગવીર જતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ “માલા ખાડ' ૫ર કરેલ
Page #3
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-વિધાત્રી વશ
૧૩૫ છે. ત્યાં જમણી બાજુ ભણશાળી જેને કરાવેલ અષ્ટાપદ (ભદ્રપ્રસાદમાં) (૨૯) અને ડાબી બાજુ ધરણશાહે કરાવેલ (ભદ્રપ્રસાદમાં) સુપ્રસિદ્ધ સમેતશિખર (ની રચના) છે. (અહીંથી નીકળી આગળ જતાં) અદ્ભૂત મૂર્તિ, ચન્દ્રગુફા, પૂર્ણસિંહવસતી, સુમતિજિન, વ્રજ શ્રેષ્ઠિએ સ્થાપેલ સુંદર હમસર (૩૦), સેમસિંહે – વરદે મૂકાવેલ સારંગ-જિનવર, તે પછી ખરતરગચ્છીય શ્રેષ્ઠી જેઠા કારિત મનહર વસતી, અને ચન્દ્રપ્રભજિન પૂજી, નાગઝર-મોરઝરના બે કુંડ જોઈ, પૂર્ણસિંહ કેકારીએ સ્થાપિલ ૭૨ જિનાલયયુક્ત શાંતિનાથ પ્રાસાદમાં નમી (૩૧), ઇન્દ્રમંડપે ઇન્દ્રમહત્સવ કરી, ત્યાં નિમ દેરીમાં દર્શન કરી (૩૨), ગજપદકુંડ (પરના આઠબિંબ ), સાંકળીયાળી પાજ, છત્રશિલા થઈ (૩૩) પ્રાતઃકાળે અબિકા(ના શિખર) તરફ જવા રવાના થાય છે. રસ્તામાં ચંદ્રપ્રભ જિનવરની
સ્તુતિ કરી, સિદ્ધરાજ (શ્રેષ્ઠીએ) ઉદ્ધારાવેલ (વસ્તુપાલ મન્ત્રકારિત) કપદ યક્ષ તરફ જઈ, ત્યાંથી ચક્રી ભરતે કરાવેલ(ને મંદિરે) આરાધી, રામડુંગરની બે દેહરીએ થઈ, રાજમતી તરફ વળે છે (૩૪); રામતીની ગુફામાં નેમિ-વિરહમાં કંકણ ભાંગી (સાવી થયેલી રામતીની પ્રતિમાના દર્શન કરી, ત્યાંથી નીચે દેખાતા શિવાદેવી પુત્ર (નેમિનાથ)ના ઉદયશેખર કલશયુક્ત મંદિરની વાત કરી (૩૫), હવે દિગમ્બર સમ્પ્રદાયના કોટડી – વિહાર તરફ જાય છે. ત્યાં શ્રેષ્ઠી પાતાએ કરાવેલ પિત્તળના આદિનાથને નમી, ભાવસાર ડાહાવિહાર (શ્વેતામ્બર)માં અજિત જિનેશ્વરને નમી, શ્રેષ્ઠી લખપતિએ કરાવેલ ચતુર્મુખ પ્રાસાદમાં જિનવરની પૂજા કરી (૩૬), ગંગાડે ગંગાના દેવળમાં ઇન્દ્ર
સ્થાપેલ જિનવરનું ધ્યાન ધરી, તે પછી ગણપતિ અને રથનેમિની દેરીમાં નમી, ચિત્તર સાહે કરાવેલ અંબિકાની પાજ પર ચઢી (૩૭), ચીત્તડા પૂનાએ કરાવેલ અને સામલ શાહે ઉદ્ધારાવેલ અંબિકાના પ્રાસાદમાં નમી, ત્યાં સંધવિદનવિનાશના ભગવતી અંબિકા (સમેનની) પંચમૂતિ સમક્ષ શ્રીફળ ધરાવી (૩૮) હવે અવલોકના શિખર પર ચડી ત્યાંથી સહસ્ત્રા»વનનું નિરીક્ષણ કરી, અને ત્યાંથી નીચે દેખાતા લાખારામ તથા સામે શામ્બ અને પ્રદ્યુમ્ન શિખરને દૂરથી નમી તેમજ પ્રદ્યુમ્ન શિખર પર રહેલ સિદ્ધિ – વિનાયક તેમ જ અદષ્ટ રહેલ કંચન – બલાનકને નિર્દેશ કરી (૩૯), નેમિનાથના મંદિર પર યાત્રી આવે છે. ત્યાં ઈન્દ્રમાલ પહેરી ઇન્દ્ર મહેત્સવ કરી દાન દઈ, સુવર્ણના ઝળહળતા કલશવાળા એ સજજનવિહારના (વાસ્તુશાસ્ત્રોક્ત) પૃથ્વીજય પ્રાસાદ પર વજ ચઢાવી (૪૦) યાત્રી-કવિ કહે છે કે જયસિંહ સિદ્ધરાજે ગરવા ગિરનારના તળ પરના પ્રાસાદ બનાવવા પાછળ ૫,૭૨,૦૦૦૦૦ વીસલપુરી (દ્રમ્મ) ખચીને પિતાની ‘ કીર્તિને સંચય કર્યો. પ્રસિદ્ધ એવા સંધવી શવરાજે (નેમિનાથના) ભવને કનકકળશ અને દેવજ સ્થાપી યશ લીધો. જે એકચિત્તથી જિનવરની (માલ?) નિત્ય સાંભળે છે તેને તીર્થયાત્રાનું ઘણું ફળ મળે છે (૪૧).
આ ચૈત્ય પરિપાટીમાં પંદરમા શતકમાં થયેલ બાંધકામ સંબંધમાં અન્ય ગિરનાર સંબદ્ધ પરિપાટીએમાં નહીં દેખાતી ઘણું ઘણું નવી હકીકત નેંધાયેલી જોવા મળે છે. જેમકે અંચલીયા પ્રાસાદ, (તારંગાતીર્થના ઉદ્ધારક) ગોવિંદ શ્રેષિએ કરાવેલ છરાપલિ – પાર્શ્વનાથ, લખપતિ શ્રેણીને ચતુર્મુખ પ્રાસાદ, દિગમ્બર પાતાવહી, અને તેની બાજુની શ્વેતામ્બર ડાહાવસહી, ચિત્તર સાહની કરાવેલી અંબાજીની પાજ, ઇત્યાદિ. તો બીજી બાજુ અહીં કરાવેલ બેએક વાતો જૂની હકીકતો સામે રાખતાં તશ્યપૂર્ણ જણાતી નથી. જેમકે નેમિનાથના મંદિરને ફરતી દેવકુલિકાએ વસ્તુપાલ મન્વીની બનાવેલ નહતી. મૂળ મંદિર ઈ. સ. ૧૧૨૯માં પૂર્ણ થયા બાદ આ દેવકુલિકાઓના છાદ્ય તથા સંવરણ ઈ. સ. ૧૧૫૯માં પૂર્ણ થયાને શિલાલેખ ત્યાં છે; અને નેમિનાથના મંદિરના બાંધકામને લગતે ખર્ચ આત્યંતિક અતિશયોક્તિપૂર્ણ હવા ઉપરાન્ત “વીસલપુરીય કેરીનું સિદ્ધ રાજના સમયમાં ચલણ હોવાનું કહેવું એ તો કાલાતિક્રમ જ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટિ
સમરીય અંબિક સરસતી, વંયિ નેમિ જિષ્ણુ દ ઊજલિગિરિ જિસવર-થણુઅ, હીઇઇ ધરી આણંદ શ્રીગિરિનારહ તલહુટીય, જૂનૂગઢ સિવશાલ સલખ-પ્રસાદિ જુહારીઇએ, તિજલપુરિનુ પાસ સમરિ સિંધિ ઊધાર્ં કીઉ, ઉસવંસ અવયાર તુ સંધવી ધંધલ તણુક એ, જિષ્ણુહરિ આદિ જુહાર ધરણિગવસહી વંદીઇ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રાસાદ તિહુ પૂર્નિંગ ગુણુગ'ભીર ખમાણા વિસહી કારવીય લખરાજ ધરીએ ઊછાઢ પીતલમઈ પ્રભુ પૂઈ એ, રિસહેસર જિષ્ણુનાહુ હુવિગિરિવરભણી સાંચર્યાં એ, દામેાદર વિલાસ સેાવનરેખનઢી-કન્હઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ રાયણિ આંખા આંખલીય, વનસઈ ભાર આઢાર માર મધુર-સર સેાહુતી એ, ગિરિ પાખલિ વન ખાર પાજ કરાવી સેાહુલીય, મેથિ ઉડ્ડયન સાખ
મહુડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઢિ લાખ ઊસવાલ સેાની પદમતણી, પાઈ પઢુિલી પરવ પરવ બીજી પેારવાડ તણી, વીસ ભીમ કિરિસ ગર્વ હાથી વ કિ ઝીલિ દીસર્ચ, રાયણિ રુખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ લેાડાયગની અભિરામ ત્રિહૂ' સલઉરી ચાહતાં એ લાગઇ સીઅણુ વાઉ માંકડકૂડી-કન્હિઈ ચઉથી, માલીપરવઇ જાઉ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિત્ત સિલખડકી પરઈ એ, બીજી ખડી તેમ પાંચમી પરવ સૂઆવડીએ, વલી અખર િ જાતાં જિમણુઈ સહસબિંદ ગુફા ભણી દઉ કે ઠિ ડાખા–જિમણા તારા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પઢુિલી પાલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ સભકર નવલખ જિહરુ એ, પઇસત બીજી પાલિ દેવલાક સારૂં કરઈ એ, સંઘવી બિઠા ઊલિ.
3
४
७
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
Page #5
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી – વિધાત્રી વારા
૧૮
[વસ્તુ]
નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઇસારુ સંઘવી હુઈ ભુંગલ–મેર—અિગિનિ ગાજઇ, ઢોલ-દદામાં દડદડી વાજઇ ગુહિર નીસાંણુ, ધવલમંગલ બાલા દેઇ, અરીયણુ પડઈ પરાણુ ૧૬
[ઢાલ]
મેલાસાહુ તણી દેહરીઈ, ધર્મેનાથનઈ નમતાં જઈઈ મૂલ દ્વારિ થાકણુ એ, સાહમી સવાલાખી ચુકીધર વસ્તગિ થાપિઉ તિહાં નેમીસર
પ્રણમુ પાસ” દેહરીઅ
નેમિ નિહાલી તેારણ વધાવુ, દાન દેઈ પા–'ડિપ વઉ નેમિનાથ સિર નાંમીઈ એ, ત્રિવાઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણુ, ફૂલલે જિન લેટીઇ એ
પૂજ રચીન અગર ઊખેવઉ રતન–થાપિત નેમીસર સેવઉ
અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ–જનમ સફલ હુઉ હેવ ગજપâ-ડિસનાંન કરુ, ધેતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણુ-મહેાછવ કીઉ નવનાદિ, કેસર-ચંદન ચરચીઈ એ ૧૯
ભમતી ચૈત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિવર પૂછજઈ ધર્મશાલા ચૈઇત્ય વંદન કીજઈ, અપાપામઢિ જાઇઇ એ
અતીત ચવીસી સાત તીર્થંકર
તે પૂજીઈ પાપ–ક્ષયંકર
આઠમ્ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદ્યાવિક અપભટ્ટસૂરિ તિહાં અણુાવું, અરિનેમિનઇ દેહરઈ એ
૧૭
૧૮
२०
૨૧
હવઈ પીત્તલમઈ દિગ`ખર જિંખ નેમિતણું પૂજઉ અવિલંબ
ખરિ દેહરી પૂઈ એ ત્રિણિ તાર વસ્તગિ ઇન્હેિં કીધી આદિલ ભામણિ ત્રણિ પ્રસિધી, લાખ લાખ ધન વેચીઉ એ ૨૨
૧૩૭
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી ગિરનાર ચય પરિપાટિ વસ્તીગ કીધુ સેજિ-અવતાર
આદીસરનઈ કરુઆ જેહાર ગિરુ પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તગિજુગરી તેઉ સેમ અનઈ આસરાજ અછઈ ૨૩ રંગમંડપિ નવ–નાટક સેહઈ પતલીએ અપછર મન મોહઈ જેતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદ જિણવર ચઉવીસઈ જિમણઈ સમેત સિહરિ જિણ વિસઈ, વઈરા દેહરી જેઈઈ એ ૨૪
જીરાઉલઉ ગઈઆગરિ થાપિઉ, તે પૂજી કલિયુગ સંતાપ્ય ચેત્ર–પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદ વિમલ પાસ થણઉ સરુઉ સાદિ, મુખમંડપ રુલીએમણુક એ ૨૫ સાવ પીતલમાં બિંબ વખાણું કંચણ બલાણ ઉપમ આણું કલ્યાણત્રય પિખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિહરૂપે છઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર જગતિઇ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડઉં હસઈ માલદેવ તણુક ભદ્ર ભલઉ, રતનદેગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવ્ર એ ૨૭ સદઈવછેરઈ તે કરાવિ હવઈ ખરતરવસહીભર્યું આવિલ " નરપાલસાહની થાપન એ, સતરણ પીતલમઈ વીર શાંતિ–પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણ એ ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલ પૂતલીએ મંડપિ મન વાલી પંચાંગવીર વસેખીઈ એ, માલાખાડઈ મંડપ જાણુ જિમણુઈ અષ્ટાપદ) વખાણ, ભણસાલી ગઈ કી એ ૨૯ ડાબઈ સમેત સહિર પ્રસીધુ તે પણિ ધરણઈ સાહિ કીધ
Page #7
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી – વિધાત્રી રે
૧૩૮
૩૩
અદબદ મૂરતિ ચંદ્રગફ, પુનિવસહી સ(સુ)મત જિણેસર વયજાગરિ થાપિઉ અલસર, હોમસર રુલીઆમણું ૩૦ સોમસીવરદે સારંગ જિણવર ખરતર જેઠાવસહી મણહર ચંદ્રપ્રભજિન પૂજઈ એ, નાગઝરિ મેરઝરિ બે કુંડ ચાહુ બહુત્તિરિ જિલઈ શાંતિ આરાહુ, પુનઈ કોઠારી થાપીઉં એ ૩૧ ઇંદ્રમંડપિ હુઈ ઈદ્ર-મહાછવ પૂનિમ દેહરી દીસઈ અભિનવ વવેક સં. નેમિ નમુ, માંસ ખમણ મનરંગિ કીધું ચિહું ચોલસું અણુસણું સીધઉ, સહુડાદે ચઉકી–કન્ડઈ એ ૩૨ ગજપદકુંડિ ઉરી છઈ અષ્ટ તેહ પરઈ છઈ કંડ વિશષ્ટ સંકલ પાઈ છત્રસિલ
[વસ્તુ હવઈ ચાલઉ હવઈ ચાલઉ ભણીએ અંબાવિ ભાણ મૂરતિ ગુરુ જિણહરઈ ચંદ્રપ્રભ જિણવર થણી જઈ સીધરાજ ઉદ્ધાર કીઉં, કવડજક્ષ દેઉલ ભણી જઈ મરુદેવ્યા મયત્રલ આજુહી ભરથુસર સંજત રાડા(? રામ) ડુંગર હેત ?) દેહરી રાજમતી સુપર ૩૪
ઢાલ રાજમતી પ્રાસાદ તલિ ગફ માહિ પડતી શંભમૂરતિ જેઉ નેમિ વિરહ-કંકણ મેડતી કૂકૂકાજલ-વન તિહાં નીકરણ ઝરંતી ઉદયશેખર વીર કલસ શિવાદેઉલ દીસતી
૩૫ હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઓ વિહાર પાતાનઈ પીતલ તણુઉ એ, આદિનાથ જહારુ ભાવસાર ડાહા વિહાર નમુ અજિત જિણેસર ચતુર્મુખ લખપતિ તણુ એ, પૂછજઈ જિણવર
૩૫
Page #8
--------------------------------------------------------------------------
________________ 10 37 38 શ્રી ગિરનાર ચય પરિપાટ ગંગાકુંડિ ગંગદેઉલ જઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન ધ્યાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ ચીત્તરસાહિ કરાવઉ એ, કીધું અવિચલ કાજ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, બેત્ર વસતા નાદ પંચમૂરતિ અંબિકતણી એ. નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણસઈ હિવ અવલેણ સહિર(સિહર) ચડી સહિસાવન પખું લાખારામી કણયરી એ, સિદ્ધ દેહરી દેખું સામિ–પજૂન નવિ બેલ, સિધવણાયગ વખાણ કંચણબલાણુઉં જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણું 39 નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઈન્દ્રમાલ, ઈન્દ્રમહેછવ દાન દઈ ધજ ચડઇ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વી જઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર 40 લાખ બહુત્તિરિ પાંચ કેડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવિ નિજ કરતિ સંચી વીરાહુ સંઘવી સજાણ શવરાજ પ્રસીધG કનક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધ9 એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તણુએ ફલ હેઈ વિશાલ ઇતિ શ્રી ગિરનાર ચેવ પરવાડિ સંપૂર્ણ સમાપ્તઃ કલ્યાણું ચ | 41.