Book Title: Aspushyo ane Jain Sanskruti Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249210/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યા અને જૈન સંસ્કૃતિ [ ૨૭ ] હજારો વર્ષ પહેલાં પણ ચડાળા અને અંત્યજો તરફ અત્યાર જેટલી જ, કદાચ તેથીયે વધારે અને ઘણી વધારે ઘૃણા તેમ જ તુચ્છ દૃષ્ટિ હતી. તે વખતના જૂના બ્રાહ્મસૂત્રો વાંચવાથી અંત્યજો તરફની એ લાગણીના પ્યાલ આવે. ભગવાન મહાવીરે પેાતાના જીવનથી એ વસ્તુના વિરાધ કર્યાં, અંત્યજો અને અસ્પૃસ્યાને સાધુસંધમાં દાખલ કર્યાં. તેથી બ્રાહ્મણ અને બીજા વૈદિક ઉચ્ચવ માં ક્ષાભ પ્રગટથો, પણ ભગવાને જરાય પરવા ન કરી. અસ્પૃશ્યોને ગુરુપદ આપવુ એને અર્થ એ છે કે તેને બધી જ જાતની શક્તિ કેળવવા માટે સ્વતંત્રતા આપવી. તે વખતના જૈન રાજા અને બીજા ગૃહસ્થા પણ એ અસ્પૃશ્ય જૈન ગુરુઓને અડકવામાં બહુમાન સમજતા, તેમને પગે પડતા અને બ્રાહ્મણ જૈન ગુરુ જેટલા જ તેમનો આદર કરતા. ઉત્તરાધ્યયનમાં ચિત્ત, ભૂતિ અને હરિકેશીબળના એ પ્રસંગા · ભગવાનની એ હિલચાલના દાખલા છે. આ એ ધટનાઓ કચે કાળે બની તે નક્કી · નથી, પણ તે ભગવાનના સમયમમાં અથવા પછી તરત જ બની હાવી જોઈ એ. ચિત્ત અને સંભૂતિ અને ચડાળ બાળકો છે. જ્યારે બ્રાહ્મણોના અને બીજા વૈદિક લાના તિરસ્કારથી દુઃખી થઈ આત્મધાત કરવા તેઓ તૈયાર થાય છે ત્યારે ભગવાનની સાચી દીક્ષા જ તેમને બચાવી લે છે. આ વર્ષાં તિરસ્કાર સામેના પહેલા દાખલા. હરિકેશી ચંડાળ છે. તેને અધા વૈદિક લેકે તરાડે છે અને ધિક્કાર વરસાવે છે, ત્યારે જૈન દીક્ષા એ ચંડાળપુત્રમાં માત્ર તેજ નહિ, પણુ અસાધારણ તેજ દાખલ કરે છે. આ સિવાય બીજા પણ કાઈ કાઈ વિરલ દાખલા છે. મુખ્ય મુદ્દો એ છે કે જૈન સંસ્કૃતિ એટલે જન્મથી નહિ પણ ગુણકમ થી વણૅ ભેદમાં માનનારી સંસ્કૃતિ. અલબત્ત, બૌદ્ધ સંસ્કૃતિ પણ તેવી જ છે, પણ દુઃખની વાત તો એ છે કે · ભગવાન મહાવીરના ઝંડા લઈ કરનાર જૈન સાધુ એ સંસ્કૃતિ ... સાચવી ન શકયા. નવમા સૈકા સુધીના દિગંબર વિદ્વાનોએ બ્રાહ્મણાતી જન્મસિદ્ધ ઉચ્ચતા Page #2 -------------------------------------------------------------------------- ________________ 470 ] દર્શન અને ચિંતન અને અંત્યજોની જન્મસિદ્ધ નીચતા સામે જે તુમુલ યુદ્ધ શાસ્ત્રોમાં કર્યું હતું અને પશ્ચિમ તેમ જ ઉત્તર હિન્દુસ્તાનના શ્વેતાંબર આચાર્યોએ જે વસ્તુ છેવટ સુધી શાસ્ત્રોમાં તવદષ્ટિએ સ્થાપી છે તે જ બાબતમાં બધા જ જૈન–ત્રણે ફિરકાના જેન–બ્રાહ્મણથી હારી ગયા છે. બ્રાહ્મણએ જે કહ્યું, જે કર્યું અને જે લખ્યું તેમાં જેને પાછા ગુલામ થયા. એકવાર જૈન દીક્ષાથી અંત્યજો પવિત્ર થતા અને એમની આભડછેટ બળી જતી. આજે એ અંત્યજો અને એમની આભડછેટ જૈન દીક્ષાને અપવિત્ર બનાવે છે. શું આ જૈનોની હાર નથી સૂચવતી કે પહેલાં જૈન દીક્ષામાં પવિત્રતાનો અગ્નિ હતા જેથી આભડછેટ બળી જતી અને આજે કહેવાતી આભડછેટમાં એ મેલ છે કે તેની સામે આજની જેમ દીક્ષા કાંઈ પણ કરવાને અસમર્થ છે? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે આજની દીક્ષામાં જે ખરે જ કાંઈ સરવ હોય તો તે આભડછેટથી ભ્રષ્ટ ન થાય, પણ ઊલટી આભડછેટને ધોઈ નાખે. હસવા જેવી વાત તો એ છે કે ખુદ ભગવાન પાસે અસ્પૃશ્યો જાય અને પવિત્ર થાય, પણ તેમની મૂર્તિ પાસે જઈ ન શકે અથવા તેમના ધર્મરસ્થાનમાં જઈ ન શકે ! જે જિનમૂર્તિ, કહેવાય છે તેમ, જિન સમાન જ હેય તે જેમ જિન—તીર્થંકર પાસે અંત્યજ જતા તેમ તેમની મૂર્તિ પાસે પણ જવા જોઈએ અને જઈને પવિત્ર થઈ શકે. એટલે કાં તો “જિનમતિ જિન સરખી’ એ વાત બેટી અને માત્ર કહેવા પૂરતી જ છે એમ ગણવું જોઈએ અને કાં તે એ વાત સાચી ઠરાવવા ખાતર તેમ જ જૈન સાધુઓ બ્રાહ્મણથી નથી હાર્યા એ બતાવવા ખાતર અંત્યજોને જન સંઘમાં લેવા જોઈએ અને ઓછામાં ઓછું જો તેઓ ઇચ્છે તે જૈન મંદિરમાં અને બીજા ઈધર્મસ્થાનમાં તેમને જવા આવવાની છૂટ મળવી જોઈએ. આ તે ધર્મદષ્ટિએ વાત થઈ, પણ સમાજ અને રાજકીય દૃષ્ટિએ પણ જેને આ વસ્તુ ન વિચારે તે તેઓની આ નિર્માલ્યતા અને વિચારહીનતા છે એમ ભવિષ્યની તેમની પ્રજા સમજશે. અને જ્યારે બ્રાહ્મણધર્મો લેકે અસ્પૃશ્યતા દૂર કરશે ત્યારે જ જૈને તેમનું અનુકરણ કરશે તે તેમાં તેમની પિતાની સાંસ્કૃતિક વિશેષતા નહિ હોય. અત્યારે આ પ્રશ્ન માત્ર સહાનુભૂતિ પૂરત નથી. દરેક ગૃહસ્થ કે સંસ્થાના સંચાલકે ઓછામાં ઓછું એક અંત્યજ બાળક કે એક બાળકને પિતાને ત્યાં સમભાવપૂર્વક રાખી જૈન સંસ્કૃતિને નિર્ભય પરિચય આપવો જોઈએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1932.